વિકસિત ભારત અમૃતકાળ અભિયાન અંતર્ગત શહેર ભાજપ દ્વારા કાર્યશાળા

  • June 07, 2025 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રદેશ ભાજપની સૂચના અને શહેર ભાજપ અધ્યક્ષ કૃણાલ શાહના માર્ગદર્શનમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા નરેન્દ્ર મોદી સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ અંતર્ગત પંડિત દીનદયાળજી ભવન ખાતે એક કાર્યશાળા યોજાઈ હતી.


જેમાં મુખ્ય વક્તા તરીકે જૂનાગઢ ભાજપના પૂર્વ અધ્યક્ષ પુનિત શર્માએ ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યશાળામાં મેયર ભરત બારડ, સ્ટે. ચેરમેન રાજુ રાબડીયા, કાર્યક્રમના સંયોજક અને પૂર્વ મહામંત્રી નરેશ મકવાણા, અલ્પેશ પટેલ, કાર્યક્રમના સહસંયોજક કિશોર ગુરુમુખાણી, જીતુ બોરીસાગર અને મહેન્દ્રસિંહ ચાવડા.તેમજ  ડે. મેયર મોનાબેન પારેખ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંગઠનના પૂર્વ હોદ્દેદારો, વરિષ્ટ આગેવાનો, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને અપેક્ષિત કાર્યકરોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું, તેમ હરેશ પરમારે જણાવ્યું હતું.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application