રાજકોટ તાલુકાનાં જામગઢ ગામે રહેતા મુકેશ વવાડીયા (ઉ.વ.૩૩) નામનાં યુવાનની અહીં ગામની સીમમાં આવેલી તેની જ વાડીએ અજાણ્યા શખ્સે મોઢાનાં ભાગે હથિયારનાં ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી જે અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. યુવાનની હત્યા કયાં કારણોસર કરવામાં આવી તેમજ હત્યા કરનાર કોણ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
મુકેશ અહીં વાડીએ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં પડયો હતો
હત્યાનાં આ બનાવ અંગે રાજકોટ તાલુકાનાં જામગઢ ગામે રહેતા અને ખેતી કામ કરનાર વિનુભાઈ ઉર્ફે વિનો વેલાભાઈ વાવડીયા (ઉ.વ.૪૦) દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં પરિવાર સાથે રહે છે. બે ભાઈ અને બે બહેનનાં પરિવારમાં સૌથી નાનો મુકેશ વેલાભાઈ વાવડીયા (ઉ.વ.૩૩) હતો. ગઈકાલે સાંજનાં ૭:૩૦ વાગ્યે રાત્રીનાં પરિવારજનો સાથે જમ્યા હતા બાદમાં મુકેશ અહીં ગામની સીમમાં આવેલી વાડીએ રખોપું કરવા માટે ગયો હતો. ત્યારબાદ આજે સવારનાં ફરિયાદી અહીં વાડીએ સાતેક વાગ્યે પહોંચતાં તેનો ભાઈ મુકેશ અહીં વાડીએ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં પડયો હતો.
યુવાને તુરંત તેની પત્ની કોમલને ફોન કર્યો
તેનાં મોઢાનાં ભાગે અથવા આંખનાં ભાગે તથા કપાળમાં કોઈ હથિયાર વડે ઈજા કર્યાનાં નિશાન જોવા મળ્યા હતા. જેથી યુવાને તુરંત તેની પત્ની કોમલને ફોન કરી કાકાનાં પુત્ર ધનજી સાથે વાત કરવાનું કહ્યું હતું બાદમાં યુવાનનાં પરિવારજનો અહીં વાડીએ પહોંચ્યા હતા. પોલીસ અને ૧૦૮ને પણ જાણ કરવામાં આવી હતી. ૧૦૮નાં ઈએમટીએ જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો જેથી પોલીસે યુવાનનાં મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.
પોલીસે હત્યારાને ઝડપી લેવા તપાસ હાથ ધરી
બનાવને લઈ કુવાડવા રોડ પોલીસે મૃતકનાં ભાઈની ફરિયાદ પરથી હત્યા અંગેનો ગુનો નોંઘ્યો છે. પરિવારજનોનાં જણાવ્યા મુજબ તેમને તથા મુકેશને કોઈ સાથે કોઈપણ પ્રકારની દુશ્મની કે બીજી કોઈ માથાકૂટ ચાલતી હોવાનું જાણવા મળ્યું નથી તેમજ યુવાન પાસે કોઈ કિંમતી વસ્તુ કે રોકડ રકમ ન હતી ત્યારે આવા સંજોગોમાં યુવાનની હત્યા કયાં કારણોસર કરવામાં આવી તે અંગે રહસ્ય સર્જાયું છે. પોલીસે યુવાનની હત્યાનું કારણ જાણવા અને તેનાં હત્યારાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMઇઝરાયલ-ઈરાન યુદ્ધની શેરબજાર પર અસર: આ કંપની રોકાણકારોને આપી શકે છે જોરદાર વળતર
June 17, 2025 10:43 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech