રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા યુવાનને બોલાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. યુવકની હત્યાથી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
હિચકારો હુમલો થતાં જીશાને દેકારો કર્યો હતો
મળતી માહિતી મુજબ, શહેરના જિલ્લા ગાર્ડન પાસેના બાપુનગરમાં રહેતા યુવકને પાઇપ અને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જિલ્લા ગાર્ડન પાસેના બાપુનગર આવાસ ક્વાર્ટર્સમાં રહેતો જીશાન મુસ્તફાભાઇ કાસમાણી (ઉં.વ.20) ગઈકાલે રાત્રે નવેક વાગ્યે જિલ્લા ગાર્ડન પાસે બાપુનગર મેઇન રોડ પર હતો ત્યારે અફઝલ સિકંદર જુણેજા તેની પાસે આવ્યો હતો અને કોઈ વાત કરી જીશાનને પોતાની સાથે લઈ ગયો હતો. બંને થોડે દૂર પહોંચ્યા હતા તે સાથે જ અમન મહેબૂબ ચૌહાણ ધસી આવ્યો હતો અને જીશાન પર પાઇપથી તૂટી પડ્યો હતો. હિચકારો હુમલો થતાં જીશાને દેકારો મચાવ્યો હતો.
હુમલામાં ઘવાયેલા જીશાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો
લોકો એકઠા થવા લાગતાં અમન ચૌહાણે છરીનો ઘા જીશાનને ઝીંકી દીધો હતો. ઝનૂનથી છરીનો ઘા ઝીંકાતા જીશાન કાસમાણી લોહીલૂહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને હુમલાખોર અમન ચૌહાણ તથા અફઝલ જુણેજા નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા જીશાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. હત્યાની ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ સરવૈયા અને રાઇટર નિલેશભાઇ સહિતનો કાફલો દોડી ગયો હતો.
અમનના 15 દિવસ પહેલા જ લગ્ન થયા હતા
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જીશાન બે બહેનનો એકનો એક ભાઈ હતો અને બાપુનગર મેઈન રોડ પર બટેટાવાળાની લારીમાં કામ કરતો હતો. આરોપી અમન ચૌહાણના પંદરેક દિવસ પૂર્વે જ લગ્ન થયા હતા અને તેની પત્ની સાથે જીશાનને સંબંધ હોવાની અમનને શંકા હતી અને તે શંકાનો ખાર રાખી જીશાનનું કાસળ કાઢી નાખ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech