આણંદપરમાં પારકા ઝઘડામાં વચ્ચે પડતા યુવાન પર 4 શખસોનો હુમલો

  • May 06, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવાગામ આણંદપરમાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનને ચાર શખસોએ ધોકા અને ફરસી વડે મારમાર્યો હતો. આ શખસોએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવની જાણવા મળતી વિગતો મુજબ, નવાગામ આણંદપરમાં રહેતા અને મજૂરી કામ કરનાર મનહર પ્રભુદાસભાઈ દેસાણી (ઉ.વ 24) નામના યુવાને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં નવાગામ આણંદપરમાં રંગીલા સોસાયટીમાં રહેતા રોહિત ઉર્ફે હગો, ભોલો ગઢવી, માઉલ ગઢવી અને લાલો ગઢવીના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના તે અહીં ગામમાં બસ સ્ટેન્ડ પાસે રસના ચિચોડે રસ પીવા માટે ગયો હતો. ત્યારે તેના પરિચિત વિશાલ ચંદુભાઈ જાડાને આરોપીઓ કે જે પણ તેના પરિચિત હોય તેને માર મારતા હોય જેથી યુવાન બચાવવા વચ્ચે પડ્યો હતો. જેથી આરોપીઓએ તેને કહ્યું હતું કે, તું શા માટે વચ્ચે પડ્યો છો? તેમ કહી તેના પર ધોકા વડે હુમલો કર્યો હતો બાદમાં ફરસી જેવા હથિયારનો ઘા મારી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અહીં લોકો એકત્ર થતાં આ શખસો નાસી ગયા હતા. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application