ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીને મળ્યા બાદ બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકારે હિન્દુઓ પર હુમલો કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. સોમવારે વિક્રમ મિસ્ત્રીએ બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ અને વિદેશ સચિવ મોહમ્મદ જસીમુદ્દીનની સામે લઘુમતીઓ પરના હુમલા અંગે ભારતની ચિંતા વ્યક્ત કરી હતી. તેના એક દિવસ પછી હુમલાઓ સંબંધિત નોંધાયેલા 88 કેસમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
દરેકને સજા કરવામાં આવશે
ડેઇલી સ્ટાર અનુસાર, મોહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે કહ્યું કે, આ કાર્યવાહી 5 ઓગસ્ટથી 22 ઓક્ટોબર વચ્ચે થયેલી હિંસક ઘટનાઓના સંદર્ભમાં કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે, 22 ઓક્ટોબર પછીના કેસોની માહિતી પણ ટૂંક સમયમાં આપવામાં આવશે. શફીકુલ આલમે કહ્યું કે, બાંગ્લાદેશમાં આ પ્રકારની હિંસા અને જઘન્ય કૃત્ય કરનારાઓને બક્ષવામાં આવશે નહીં, દરેકને સજા કરવામાં આવશે.
આરોપીઓની ધરપકડ કરવામાં આવી
જ્યારે શફીકુલ આલમને પૂછવામાં આવ્યું કે, શું અટકાયત કરાયેલા લોકોમાં રાજકીય પક્ષો સાથે સંકળાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે, તો તેણે કહ્યું, રાજકીય ઓળખના આધારે કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જે પણ શંકાસ્પદ અથવા આરોપી હતા તેની ધરપકડ કરવામાં આવી છે. જો કે, લઘુમતીઓ પર હુમલાના સંદર્ભમાં 88 કેસ નોંધાયા છે અને એવું જાણવા મળ્યું છે કે, મોટાભાગના કેસો એવા હતા. જેમાં અગાઉના શાસક પક્ષના સભ્યોને હિંસાનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં તે કેવી રીતે જાણી શકાશે કે તેણે તેના ધર્મના કારણે હિંસાનો સામનો કરવો પડ્યો હતો કે તે અગાઉની સરકારના કાર્યકર હોવાને કારણે?
લઘુમતીઓ પર 2,010 હુમલા થયા
હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી ઓકિયા પરિષદે અહેવાલ આપ્યો છે કે, બાંગ્લાદેશમાં 4 ઓગસ્ટથી 20 ઓગસ્ટ વચ્ચે લઘુમતીઓ પર 2,010 હુમલા થયા છે. કાઉન્સિલના આ આંકડાઓ પર શફીકુલ આલમે સ્વીડનના નેત્રા ન્યૂઝને ટાંકીને કહ્યું કે, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશમાં દરેક હુમલા રાજકીય અથવા અંગત કારણોસર થયા છે, કોઈને હિંસાનો શિકાર નથી બનાવાયો. કારણ કે તે લઘુમતી સમુદાયના છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech