રાજકોટમાં રાત્રે ઘરમાં ઘૂસી લૂંટ ચલાવી એકલવાયું જીવન જીવતા વૃદ્ધનું ગળુ કાપી હત્યા, લૂંટ વિથ મર્ડરની ઘટનાથી ચકચાર

  • June 07, 2025 09:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે. જેમાં ઘરમાં ઘૂસીને લૂંટ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, એકલવાયું જીવન જીવતા વૃદ્ધની હત્યા બાદ લૂંટ કરવામાં આવી છે. વૃદ્ધની હત્યાથી ખળભળાટ મચ્યો છે, તિક્ષ્ણ હથિયારથી વૃદ્ધનું ગળું કાપી હત્યા કરવામાં આવી છે.


પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી

મળતી માહિતી મુજબ, ભક્તિનગર વિસ્તારમાં આવેલી વાલકેશ્વર સોસાયટીમાં રાત્રે એકલવાયું જીવન જીવતા વૃદ્ધની લૂંટના ઈરાદે ગળું ચીરીને કરપીણ હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. અજાણ્યા લૂંટારૂએ મૃતકના હાથમાંથી સોનાના દાગીના લૂંટી લીધા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.  એકલા રહેતા ૭૦ વર્ષના વૃદ્ધના સોનાના ઘરેણાં લૂંટી કરપીણ હત્યા નિપજાવી હતી. બનાવના પગલે ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને ભક્તિનગર પોલીસ સહિતનો સ્ટાફ દોડી જઈ મૃતદેહેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી સીસીટીવી આધારે હત્યારાની શોધખોળ હાથ ધરી છે. 


વૃદ્ધ એકલવાયું જીવન જીવતા હતા

દુધ સાગર રોડ દૂધની ડેરી સામે અર્થ એપાર્ટમેન્ટમાં પહેલા માળે ફલેટ નં ૧૦૨માં રહેતા રમજાન ભગુલામહુશેન લાખાણીએ ભકિતનગર પોલીસમાં અજાણ્યા શખસ તથા તપાસમાં ખુલે તે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે અમો પાંચ ભાઈ તથા ત્રણ બહેનો છે. તેમાંના મોટા ભાઈ બરકતભાઈ ગુલામહુશેનભાઈ લાખાણી જેઓ વાલ્કેશ્વર સોસાયટીમાં એકલા રહેતા હતા. તેના પત્ની ઘણા વર્ષો પહેલા અવસાન પામેલ છે. શુક્રવાર રાત્રિના ઘરે હતો ત્યારે ભત્રીજા રાજેશનો ફોન આવ્યો અને કહ્યું કે બરકત કાકા તેના ઘરે પડી ગયા છે. તે સીરીયસ જેવું લાગે છે. જેથી આપણે જવું પડશે તેમ વાત કરતા ઉપરોકત સરનામે ઘરે પહોંચ્યો ત્યારે આસપાસ લોકો એકઠા થયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application