75માં ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરંપરાગત બગ્ગીમાં રાષ્ટ્રપતિ ભવનથી કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા. 40 વર્ષ પછી કોઈ રાષ્ટ્રપતિ આ બગ્ગીમાં બેઠા છે. આ બગ્ગીમાં મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ સવાર હતા. પાકિસ્તાન સામે ટોસ જીત્યા બાદ ભારતને આ બગ્ગી મળી હતી.
1950માં ગણતંત્ર દિવસ પર આ બગ્ગીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ આ બગ્ગીમાં બેઠા હતા. આ પરંપરા 1984 સુધી ચાલુ રહી. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ આ બગ્ગીની જગ્યા હાઈ સિક્યોરિટી કારે લઈ લીધી.
આ સોનાનો ઢોળ ચડાવેલી, ઘોડાથી દોરેલી ગાડી મૂળ ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન વાઇસરોયની હતી. 1947માં આઝાદી પછી ગવર્નર જનરલના બોડીગાર્ડ, જે હવે રાષ્ટ્રપતિના બોડીગાર્ડ તરીકે ઓળખાય છે, તેને ભારત અને પાકિસ્તાન વચ્ચે 2:1 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવ્યું હતું. જ્યારે વાઈસરોયની બગ્ગીનો વારો આવ્યો ત્યારે બંને દેશોએ તેના પર પોતાના દાવા કરવા માંડ્યા.
આખરે ટોસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રેસિડેન્ટ બોડીગાર્ડ રેજિમેન્ટના પ્રથમ કમાન્ડન્ટ લેફ્ટનન્ટ કર્નલ ઠાકુર ગોવિંદ સિંહ અને પાકિસ્તાની સેનાના સાહબઝાદા યાકુબ ખાન વચ્ચે બગ્ગીનો ટોસ થયો. આમાં ભારત જીત્યું અને આ રીતે ભારતને આ બગ્ગી મળી ગઈ. 25 જુલાઈ 2017ના રોજ રામનાથ રાષ્ટ્રપતિ પદના શપથ લેવા માટે આ બગ્ગીમાં સંસદ ભવન પહોંચ્યા હતા. ત્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખજીર્ પણ તેમની સાથે હાજર હતા.
25 જુલાઈ 2017ના રોજ રામનાથ રાષ્ટ્રપતિ પદના શપથ લેવા માટે આ બગ્ગીમાં સંસદ ભવન પહોંચ્યા હતા. ત્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખજીર્ પણ તેમની સાથે હાજર હતા.
2014માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખજીર્એ બુલેટ પ્રૂફ વાહનમાં રાષ્ટ્રપતિ આવવાની પરંપરા બદલી હતી. લગભગ ત્રણ દાયકા પછી 29 જાન્યુઆરીના રોજ યોજાનારી બીટિંગ રીટ્રીટમાં હાજરી આપવા માટે બગ્ગીમાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખજીર્ બાદ રામનાથ કોવિંદે પણ ઔપચારિક રીતે બગ્ગીનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો. 25 જુલાઈ 2017ના રોજ શપથ લેવા માટે કોવિંદ તેમની કાર છોડીને રાષ્ટ્રપતિ ભવનથી સંસદ સુધી આ બગ્ગીમાં સવાર થયા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech