બોલિવૂડ એક્ટર રણવીર સિંહના ફેન્સે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના લગ્નની તસવીરો ડિલીટ કરી દીધી હતી. જે બાદ તેના ચાહકો આઘાતમાં સરી પડ્યા હતા. હવે દીપિકાએ પણ સોશિયલ મીડિયા પરથી લગ્નની તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. જે બાદ ચર્ચાનો વિષય બન્યો છે કે આ કપલે આવું કેમ કર્યું કારણ કે બંને પેરેન્ટ્સ બનવાના છે.
દીપિકા અને રણવીરના ચાહકોને ગતરોજ મોટો આંચકો લાગ્યો જ્યારે અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી તેના લગ્નની તસવીર ડિલીટ કરી દીધી હતી. હવે દીપિકાએ પણ લગ્નની તસવીરો હટાવીને ફેન્સને મોટો આંચકો આપ્યો છે. રણવીરના આ પગલાથી દીપિકા સાથેના લગ્નજીવનમાં મુશ્કેલીની અફવાઓ પણ ઉભી થઈ હતી. હજુ એ સ્પષ્ટ નથી થયું કે રણવીરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ફોટાને કાયમ માટે હટાવ્યા છે કે ટેમ્પરરી.
રસપ્રદ વાત એ છે કે, માત્ર રણવીર સિંહ જ નહીં પરંતુ દીપિકાએ પણ ત્રણ વર્ષ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લગ્નની તસવીરો હટાવી દીધી હતી. 1 જાન્યુઆરી, 2021 ના રોજ, દીપિકાએ તેની બધી પોસ્ટ છુપાવી દીધી અને ઇન્સ્ટાગ્રામ પર નવેસરથી શરૂઆત કરવાનો સંકેત આપ્યો. તે સમયે તેણે ઓડિયો ડાયરી ચાહકો સાથે શેર કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, 'સૌને નમસ્કાર, મારી ઓડિયો ડાયરીમાં આપનું સ્વાગત છે, જે મારા વિચારો અને લાગણીઓનો રેકોર્ડ છે. જો કે, 11 મહિના પછી, 'પઠાણ' સ્ટારે રણવીર સાથેના તેના લગ્નની તસવીરો સાથે તેની પોસ્ટ ફરીથી પોસ્ટ કરી હતી.
દીપિકા પ્રેગ્નન્ટ છે અને હાલમાં જ તે રણવીર સિંહ સાથે તેના બેબીમૂન વેકેશન પર હતી. જ્યાંથી તેની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પરથી તેમના લગ્નની તસવીરો હટાવવાની વાત ફેન્સ માટે આંચકા સમાન છે. હવે જોવાનું એ રહે છે કે આ પાછળનું કારણ શું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંગાપોરમાં કોરોનાની રિએન્ટ્રી ૭ દિવસમાં ૨૫૯૦૦થી વધુ કેસ
May 20, 2024 12:07 PMપાંચમા તબક્કામાં ૮ રાજયોની ૪૯ બેઠકો પર મતદાન
May 20, 2024 12:05 PMઈરાનના રાષ્ટ્ર્રપતિ, વિદેશમંત્રીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત
May 20, 2024 12:00 PMદેશભરમાં અગન વર્ષા: યે તો સિર્ફ ઝાંખી હૈ
May 20, 2024 11:54 AMશહેરમાં કેરીના ભાવમાં ઉછાળો: પાક નાશ થવાથી ભાવ ઉચકાયા
May 20, 2024 11:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech