ગુજરાતમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસ (એએસઆઈ) ના અધિકારીઓ, પેન્શનરો, અન્ય અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના આશ્રિત કુટુંબીજનોને એબી- પીએમજેએવાય યોજના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનિફિટ મળી રહે તેવી યોજનાની જાહેરાત ગુજરાત સરકારે તારીખ 15 મે ના રોજ કરી હતી.
પરિવારના સભ્યોના નામ કમી કરાવવાના રહેશે
સરકારની આ જાહેરાત પછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવે એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે ફીકસ પગારના કર્મચારીઓના કિસ્સામાં નોકરીમાં નિયમિત નિમણૂક આપ્યા વિના સેવા સમાપ્ત કરવામાં આવે અથવા કોઈ અધિકારી કે કર્મચારી રાજીનામું આપીને જતા રહે અથવા શિક્ષાત્મક કાર્યવાહીના અંતે સેવા સમાપ્ત કરવામાં આવે તો તેવા કિસ્સામાં આવા અધિકારી કે કર્મચારીને આ યોજનાનો લાભ નહીં મળે. જે તે કચેરીના વડાએ આ સંદર્ભે સ્ટેટ હેલ્થ એજન્સીને જાણ કરી જે તે કર્મચારી કે અધિકારી અને તેના પરિવારના સભ્યોના નામ કમી કરાવવાના રહેશે.
કુટુંબના દરેક સભ્યોનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે
આ યોજના અંતર્ગત સરકારી કર્મચારીઓને પીએમજેએ વાય યોજનાનું કાર્ડ ફાળવવાની કામગીરી સરકારે સ્ટેટ હેલ્થ એજન્સી ને સોપી છે. અધિકારી અને કર્મચારીને તેમના વિભાગના વડા મારફતે ખાસ પ્રમાણપત્ર આપવામાં આવશે અને ત્યાર પછી પીએમજેએવાય કાર્ડ આપવામાં આવશે. પેન્શનરોના કિસ્સામાં આ કામગીરી તિજોરી અધિકારી દ્વારા કરવાની રહેશે. ઈ કેવાયસી કરી શકાય તે હેતુથી કુટુંબના દરેક સભ્યોનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech