જામ્યુકો દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત બર્ડ કેર સેન્ટર ઉભુ કરાયું...
ગુજરાત સરકાર ધ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણ પર્વ દરમ્યાન તા.૧૦/૦૧/ર૦ર૬ થી તા.ર૦/૦૧/ર૦ર૬ સુધી પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા તથા ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે ''કરૂણા અભિયાન'' નું આયોજન કરવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકા ધ્વારા પણ ઉતરાયણ પર્વ નિમિતે પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર આપવા માટે ''કરૂણા અભિયાન-ર૦ર૬'' ના ભાગરૂપે તા.૧૦/૦૧/ર૦ર૬ થી તા.ર૦/૦૧/ર૦ર૬ સુધી મ.ન.પા. સંચાલિત કેટલ પોન્ડ (હાપા ગૌશાળા), રાધિકા સ્કૂલ પાછળ, માર્કેટિંગ યાર્ડ પાસે, રાજકોટ-જામનગર હાઈવે, હાપા ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવા માટે ''બર્ડ કેર સેન્ટર'' ઉભુ કરવામાં આવેલ છે.
આ ''બર્ડ કેર સેન્ટર'' ખાતે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર સવારે ૯-૦૦ થી સાંજના પ-૦૦ કલાક દરમ્યાન આપવામાં આવશે. જાહેર જનતાએ ઘાયલ પક્ષીઓની સારવાર માટે મ.ન.પા. ધ્વારા ઉભી કરાયેલ આ વ્યવસ્થાનો લાભ લેવા તથા આ કરૂણા અભિયાનમાં સહકાર આપવા જામનગર મહાનગરપાલિકા અપીલ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application