વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વચગાળાના બજેટની પ્રશંસા કરી હતી અને તેને એવું બજેટ ગણાવ્યું હતું જે ગરીબો અને મધ્યમ વર્ગ માટે રોજગારીનું સર્જન કરશે. તેમણે કહ્યું કે આ બજેટ દ્વારા આશા વર્કર્સ અને આંગણવાડી કાર્યકરોને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે વચગાળાનું બજેટ રજૂ કર્યું. 47.66 લાખ કરોડનું કુલ ખર્ચનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ સામાન્ય ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવ્યું છે.
પીએમે કહ્યું કે વંદે ભારત સ્ટાન્ડર્ડના 40 હજાર કોચ બનાવવા અને તેને સામાન્ય ટ્રેનોમાં સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કરોડો મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. પીએમ મોદીએ કહ્યું, 'આ બજેટ ગરીબ અને મધ્યમ વર્ગના સશક્તિકરણ અને તેમના માટે રોજગારની નવી તકો ઊભી કરવા પર ભાર મૂકે છે. અમે ગરીબો માટે 2 કરોડ વધુ ઘર બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, 'અમારું લક્ષ્ય હવે 3 કરોડ 'લખપતિ દીદી' બનાવવાનું છે. આશા અને આંગણવાડી કાર્યકરોને પણ હવે આયુષ્માન યોજનાનો લાભ મળશે.
બજેટ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજનો બજેટ સમાવેશી અને નવીન છે. આ બજેટમાં સાતત્યનો ભરોસો છે. આ બજેટ વિકસિત ભારતના ચાર સ્તંભોને સશક્ત બનાવશે - યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતો. તેમણે કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ બજેટ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે. આ બજેટ 2047ના વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાની ખાતરી આપે છે. હું નાણામંત્રી અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટ યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. આજના બજેટમાં દેશમાં સંશોધન અને ઈનોવેશનને મજબૂત કરવા માટે ફંડ બનાવવા માટે 1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech