જામનગર શહેરની મઘ્યમાં રાજાશાહી વખતનું રણમલ તળાવ બન્યું છે, શહેરની શાન સમા રણમલ તળાવમાં દિવાલ ફરતે કેટલાક ઝાડો ઉગી ગયા છે, કેનાલમાંથી પણ કચરો આવે છે, એ પણ એકઠો થયો છે, હાલમાં પ્રી-મોન્સુનની કામગીરી ચાલી રહી છે ત્યારે તાત્કાલિક અસરથી ચોમાસુ શરૂ થાય તે પહેલા રણમલ તળાવની સાફસફાઇ કરવી જરૂરી છે. મહાપાલિકાના અધિકારીઓએ શહેરની મઘ્યમાં જેની રોનક છે એવું આ તળાવ સ્વચ્છ કરવા માટે તાત્કાલિક કામગીરી કરવી જોઇએ એવુ લોકો પણ કહે છે કેનાલોમાંથી અવાર નવાર કચરો તળાવમાં એકઠો થાય છે, માટે તળાવમાંથી પણ દુર્ગંધ આવે છે ત્યારે પ્રીમોન્સુનની કામગીરીમાં જ આ તળાવને સ્વચ્છ બનાવવું જોઇએ.