ચાર ધામોની યાત્રા પૈકીનું દ્વારકા દર વર્ષે લાખો ભકતજનો કાળીયા ઠાકોરને શીશ ઝુકાવા દેશભરમાંથી દ્વારકા આવતા હોય છે ખાસ કરીને દિવાળીના પવિત્ર તહેવારો તેમજ નવા વર્ષના પ્રારંભે જ દ્વારકાધીશના દર્શન કરીને વર્ષનો પ્રારંભ કૃષ્ણ ભકતો કરતા હોય છે તા.૧૯/૧૦ થી ૨૫/૧૦/૨૦૨૫ દરમિયાન દિપાવલી, નુતનવર્ષ ઉત્સવ ઉજવણી અંતર્ગત દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
તા.૧૯/૧૦/૨૦૨૫ ધનતેરશ નિત્ય ક્રમ મુજબ, તા.૨૦/૧૦/૨૦૨૫ સોમવાર રૂપ ચર્તુદર્શી દિવાળી મંગળા આરતી સવારે ૫.૩૦ વાગ્યે ૬.૩૦ થી ૭.૩૦ સુધી સ્નાન દર્શન બંધ, અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ, અનોસર દર્શન બંધ બપોરે ૧.૦૦ વાગ્યે, ઉત્થાપન સાંજે ૫ વાગ્યે, હાટડી દર્શન સાંજે ૮.૧૫ કલાકે, શયન રાત્રે ૯.૪૫ વાગ્યે, તા.૨૧/૧૦/૨૦૨૫ મંગળવારે અન્નકુટ ઉત્સવ મંગળા આરતી સવારે ૬.૩૦ વાગ્યે, ગોર્વધન પુજા સવારે ૧૧.૩૦ વાગ્યે, અનોસર દર્શન બંધ બપોરે ૧.૦૦ વાગયે, અન્નકુટ દર્શન સાંજે ૫ થી ૭ સુધી, શયન રાત્રે ૯.૪૫ વાગ્યે, તા.૨૨/૧૦/૨૦૨૫ બુધવાર નુતનવર્ષ નિત્ય ક્રમ મુજબ તા.૨૩/૧૦/૨૦૨૫ ગુરૂવાર ભાઇબીજ મંગળા આરતી સવારે ૭ વાગ્યે, અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ રહેશે તેમ નાયબ કલેકટર અને દ્વારકાધીશ મંદિર વહિવટદાર હિમાંશુ એલ. ચૌહાણની યાદીમાં જણાવાયું છુે.