જામનગરમાં બાલાજી વેફર્સના પેકેટમાં દેખાયો મરેલો દેડકો
પુષ્કરધામ સોસયટીમાં રહેતા ગ્રાહકને થયો કડવો અનુભવ: ફૂડ વિભાગની ટીમ પહોંચી
આજકાલ પ્રતિનિધિ-જામનગર
ખાણીપીણીમાં બેદરકારી રખાતી હોવાની વાત જુની અને જાણીતી છે, ખાસ કરીને પેકેટવાળા ફૂડમાં આવી બેદરકારીઓ અવારનવાર જોવા મળતી હોય છે ત્યારે આજે અહીંના પુષ્કરધામ સોસાયટી ખાતે રહેતા એક ગ્રાહકને જાણીતી બાલાજી વેફર્સ કંપનીના પડીકામાં ફ્રાય થયેલો દેડકો જોવા મળતા આ અંગે મહાનગરપાલિકાના ફૂડ વિભાગને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને એમના દ્વારા ખરાઇ થઇ ગયા બાદ આ સંબંધેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ અહીંના પુષ્કરધામ સોસાયટી શેરી નં. પ માં રહેતા જસ્મીનભાઇ પટેલ દ્વારા બાલાજી કંપનીની વેફર ખરીદવામાં આવી હતી અને તેને ખોલતા અંદર ફ્રાય થયેલો દેડકો જોવા મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા, એમણે પટેલ પ્રોવિઝન એન્ડ જનરલ સ્ટોર્સમાંથી વેફર ખરીદી હોવાનું મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજકાલને જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારે વેફરમાંથી દેડકો મળ્યો હોવાથી ચોંકી ઉઠેલા ગ્રાહક દ્વારા સમગ્ર મામલે ફૂડ શાખાને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ફૂડ શાખાની ટીમ પ્રોવિઝન સ્ટોર્સ ખાતે પહોંચી હતી અને વિધિવત તપાસ શ કરી હતી.
ફૂડ શાખાએ જણાવ્યું છે કે, ટીમ જ્યારે પહોંચી ત્યારે વેફરનું પડીકું ખુલ્લું હતું, આથી ડીસ્ટ્રીબ્યુટર સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે ખરાઇ કયર્િ બાદ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાશે.
બાલાજી વેફરના પડીકામાં ફ્રાય થયેલો દેડકો મળ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ લોકો ચોંકી ઉઠ્યા હતા, કારણ કે વેફર એ બાળકોનું સૌથી માનીતું ફૂડ છે અને લગભગ ઘરોમાં મોટાભાગના બાળકોના હાથમાં હરવા ફરવાના સ્થળો પર અને ઘરમાં વેફરના પડીકા જોવા મળતા હોય છે, આવા સંજોગોમાં જરી છે કે વેફર બનાવતી તમામ કંપનીઓને સાવધ રહેવાની કડક સૂચનાઓ આપવામાં આવે, કારણ કે આ બાબત બાળકોના આરોગ્ય સાથે જોડાયેલી છે.
આ મામલામાં મહાનગરપાલિકાની ફૂડ શાખા બાલાજી કંપની સામે ધોરણસરની કાર્યવાહી કરે છે કે કેમ ? કે પછી ફીંડલું વાળી દેવામાં આવે છે કે કેમ ? તે આગામી સમયમાં ખબર પડી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech