જ્યારે બીમાર હોય ત્યારે ડોકટરો ઘણીવાર લોકોને તેમની જીભ બતાવવા માટે કહે છે. જેના દ્વારા તેઓ કેટલીક બીમારીઓને શોધવાનો પ્રયાસ કરે છે. ઘણી વખત ડોકટરો જીભ દ્વારા રોગોનું ચોક્કસ નિદાન કરી શકે છે. હવે વૈજ્ઞાનિકોએ એક એવી ટેક્નોલોજી તૈયાર કરી છે જેમાં જીભને જોઈને 98 ટકા સચોટતા સાથે બીમારીઓ શોધી શકાય છે. ખાસ વાત એ છે કે, રોગની ઓળખ વાસ્તવિક સમયમાં શક્ય બનશે. જો આ ટેક્નિક સંપૂર્ણપણે સફળ થાય, તો પછી રોગની શોધ માત્ર મિનિટોનું કામ બની જશે.
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, એક નવા અભ્યાસમાં, વૈજ્ઞાનિકોએ એક AI મોડલ બનાવવાનો દાવો કર્યો છે, જેમાં જીભ બતાવીને ઘણા રોગોને ઓછા સમયમાં શોધી શકાય છે. આ ટેક્નોલોજી દ્વારા એવું કહેવાય છે કે, રોગોને 98% ચોકસાઈથી શોધી શકાય છે. યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયા અને મિડલ ટેકનિકલ યુનિવર્સિટી ઓફ ઈરાકના વૈજ્ઞાનિકોએ મળીને આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડલ (AI મોડલ) તૈયાર કર્યું છે, જે દવાના ક્ષેત્રમાં ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. આ ટેકનિક જીભના ફોટોગ્રાફ્સ દ્વારા રોગોને શોધવામાં સફળ સાબિત થઈ રહી છે.
સંશોધકોના જણાવ્યા અનુસાર, આ ટેકનીકમાં જીભના ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટાને AI મોડેલમાં ફીડ કરવામાં આવે છે. આ મોડેલને વિવિધ રોગો સાથે જીભની છબીઓનું વિશ્લેષણ કરવાની તાલીમ આપવામાં આવી છે. જ્યારે આ મોડેલમાં ફોટા આપવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ ઝડપથી અને સચોટ રીતે રોગોની આગાહી કરે છે. નવી ટેક્નોલોજી તે રોગોને ચોક્કસ રીતે શોધી શકશે જેના લક્ષણો જીભ પર દેખાય છે. જીભ પરના વિવિધ રંગો, આકારો અને પેટર્ન ઘણી તબીબી સ્થિતિઓને સૂચવી શકે છે. ડોકટરો માટે જીભ દ્વારા રોગોની ઓળખ કરવી મુશ્કેલ છે.
આ ટેક્નોલોજીને ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ AI ટેક્નોલોજીની ચોકસાઈ 98 ટકા સુધી પહોંચી ગઈ છે. તેના દ્વારા જીભના ફોટાનું વિશ્લેષણ કરવામાં ઘણો ઓછો સમય લાગે છે. આ ટેક્નોલોજીને સામાન્ય સ્માર્ટફોન કેમેરા સાથે પણ લાગુ કરી શકાય છે, જે તેને દૂરના વિસ્તારોમાં પણ ઉપયોગી થઈ શકે છે. આ દ્વારા પ્રારંભિક તબક્કામાં રોગો શોધી શકાય છે, જે સારવારને વધુ અસરકારક બનાવે છે. તેનો વ્યાપક ઉપયોગ કરી શકાય છે, જેથી રોગચાળા જેવી પરિસ્થિતિમાં તાત્કાલિક જરૂરી પગલાં લઈ શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયાજ્ઞવલ્કય વિદ્યા મંદિરમાં ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવાયો
May 03, 2025 12:57 PMસુભાષ નગર તરફ જતા રસ્તા ના સમારકામની કાર્યવાહી કરવા ઉઠી માંગ
May 03, 2025 12:54 PMપોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે 108 દીપમાળા ના દિવ્ય દર્શન યોજાયા
May 03, 2025 12:52 PMપોરબંદરમાં રામધૂનના 59માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવ ઉજવાયો
May 03, 2025 12:50 PMધારી : મૌલાનાની સઘન તપાસ ચાલુ, મદ્રેસા કાયદેસર છે કેમ તેની થશે ચકાસણી
May 03, 2025 12:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech