જામનગરમાં સાયબર-નાર્કોટીકસ અંગે અવેરનેશ પેમ્પલેટનું વિતરણ
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા એસપી ડો. રવિ મોહન સૈનીએ ક્રાઇમ કોન્ફરન્સ દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને એસઓજી જામનગર દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેશ અને નાર્કોટીકસ અંગેના અવેરનેશ માટે તા. ૨૬-૫ના રોજ ક્રિસ્ટલ મોલ જામનગર ખાતે ૩૦૦ જેટલા અવેરનેશ પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ આ કાર્યક્રમનું સફળ આયોજન પીઆઇ એન.બી. ડાભી, પીઆઇ વી.બી. ચૌધરી, પીએસઆઇ એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ કરાયુ હતું.
૩૦૦ જેટલા લોકોને વિવિધ પ્રકારના સયાબર ક્રાઇમ જેવા કે વીશીંગ કોલ, ફીશીંગ કોલો, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ વિગેરે ફ્રોડ વિશે માહીતગાર કરવામાં આવ્યા હતા.