કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટરની બળાત્કાર અને હત્યા બાદ દેશભરના ડોક્ટરો ગુસ્સામાં છે. લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)ના રેસિડેન્ટ ડોક્ટરો તમામ કામ છોડીને હડતાળ પર બેઠા છે. તેમના હાથમાં બેનર છે જેના પર નિર્ભયા 2.0 લખેલું છે અને સ્કેચની મદદથી બળાત્કાર પીડિતાની તસવીર બનાવવામાં આવી છે. પટના AIIMSમાં સ્થિતિ વધુ ખરાબ છે. અહીંના રેસિડેન્ટ ડોક્ટરોએ ઓપીડી પણ બંધ કરી દીધી છે.
હજારો રેસિડેન્ટ ડોક્ટરો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પીડિતાને ન્યાય ન મળે ત્યાં સુધી કામ બંધ રાખવાની જાહેરાત કરી છે. આ દરમિયાન દેશભરની સરકારી હોસ્પિટલોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, કારણ કે રેસિડેન્ટ ડોક્ટરોએ પણ આજથી ઓપીડી બંધ કરી દીધી છે.
ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન્સ (FAIMA)એ 13 ઓગસ્ટથી રાષ્ટ્રવ્યાપી વિરોધ સાથે ઓપીડી અને વૈકલ્પિક સેવાઓ બંધ કરવાની હાકલ કરી હતી. જણાવી દઈએ કે, 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક રેસિડેન્ટ (PGT) ડોક્ટરનું યૌન શોષણ થયું હતું. આરોપીએ બળાત્કાર કર્યા બાદ ડોક્ટરની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પશ્ચિમ બંગાળના તબીબોએ પ્રદર્શન કરીને કામ બંધ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ ધીરે ધીરે ડોક્ટરોનો આ વિરોધ દેશભરમાં ફેલાઈ ગયો છે.
દિલ્હી AIIMSના ડોક્ટરોએ કરી આ 6 માંગણીઓ
1. કોઈપણ વિલંબ કર્યા વિના કેસ તાત્કાલિક સીબીઆઈને સોંપવો જોઈએ.
2. પ્રિન્સિપાલ તેમજ એમ.એસ. અને અલ્પાટલના સિક્યુરિટી ઇન્ચાર્જનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે.
3. કેન્દ્ર સરકાર તરફથી લેખિતમાં ખાતરી મળે કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ ડોક્ટરો માટે લાગુ કરવામાં આવશે.
4. મેડિકલ કોલેજની ઇમારત અથવા પુસ્તકાલયનું નામ મૃત ડૉક્ટરના નામ પર હોવું જોઈએ.
5. ડૉક્ટરના પરિવારને પૂરતું વળતર મળવું જોઈએ.
6. શારીરિક હુમલાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ.
IMAએ સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાને લખ્યો પત્ર
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાને પત્ર લખીને મહિલા ડૉક્ટર સાથેની નિર્દયતાની ઘટના અંગે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. IMAએ આ મામલે નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસની માંગ કરી છે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે દોષિતોને ન્યાય આપવામાં આવે. તેમજ એસોસિએશને કયા સંજોગોમાં આ પ્રકારના ગુનાને અંજામ આપ્યો તેની ઝીણવટભરી તપાસની માંગણી કરી છે. તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂકતા, IMAએ વિનંતી કરી કે, કાર્યસ્થળ પર ડોકટરો, ખાસ કરીને મહિલાઓની સલામતી વધારવા માટે પગલાં લેવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech