તારક મહેતાના એકટરના ગાયબ થયાના 18 દિવસ બાદ પણ નથી મળી કોઈ ભાળ, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો  

  • May 10, 2024 12:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. તેના ગુમ થવાનું રહસ્ય વધુને વધુ જટિલ બની રહ્યું છે. હવે આ મામલામાં દિલ્હી પોલીસે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુચરણ સિંહ 10 થી વધુ બેંક ખાતાઓ ચલાવતા હતા. કેસની પ્રારંભિક તપાસમાં, ધર્મ તરફ તેનો ઝુકાવ વધતો હોવાનું બહાર આવ્યું હતું.


અહેવાલ મુજબ દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે કે ગુરુચરણ સિંહ 10 થી વધુ બેંક ખાતાઓ ચલાવતા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં, ગુરુચરણે ઘણા બેંક ખાતાઓ જાળવી રાખ્યા હતા. અહેવાલ અનુસાર, ગુરુચરણ સિંહના એક કરતા વધુ જીમેલ એકાઉન્ટ હોવાનું પણ જાણવા મળ્યું છે.


અહેવાલો અનુસાર, તેણે તેના ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડીને બીજા કાર્ડની બેલેન્સ ચૂકવી હતી. ગુરુચરણ સિંહે છેલ્લે એટીએમમાંથી 14 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. આ સિવાય હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પ્રારંભિક તપાસ દરમિયાન ગુરચરણ સિંહના પરિચિતો અને મિત્રોએ પોલીસને જણાવ્યું હતું કે અભિનેતા ધર્મ તરફ ઝુકાવતો હતો અને તેણે પર્વતો પર જવાની વાત કરી હતી.


ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ છે અને હજુ સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી. ગુરુચરણ સિંહ 22 એપ્રિલે મુંબઈ પહોંચવાના હતા, જે વ્યક્તિ તેમને રિસીવ કરવાના હતા તેને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ કેસની સતત તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application