ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી લથડી છે. તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે તેમની હાલત સ્થિર છે. 96 વર્ષીય લાલ કૃષ્ણ અડવાણી હાલમાં ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ છે.
ગત મહિને પણ હોસ્પિટલમાં થવું પડ્યું હતું દાખલ
96 વર્ષિય અડવાણીને આજે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, હોસ્પિટલના એક સૂત્રના જણાવ્યા અનુસાર, જુલાઈના પ્રથમ સપ્તાહમાં, અડવાણીને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બે દિવસ સુધી તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા બાદ (હોસ્પિટલમાંથી) રજા આપવામાં આવી હતી. તેમને ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડો. વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
આ પહેલા અડવાણીને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં એક રાત રાખ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલીના વૈદ સાથે સબંધીઓએ 53 લાખની છેતરપીંડી આચરી
May 07, 2025 11:51 AM'ઓપરેશન સિંદૂર': ભારતે પાકિસ્તાનના આ 9 સ્થળોને કેમ નિશાન બનાવ્યા?
May 07, 2025 11:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech