અહીં આવેલું છે વાદળો અને ધોધનું ઘર, કરો પ્રવાસનું આયોજન

  • April 25, 2024 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




આપણા દેશમાં ફરવા માટેના ઘણા સ્થળો છે. આ સ્થાનોમાનું  એક ચેરાપુંજી છે, જે લોકોનું પ્રિય સ્થળ છે. અહીં વાદળોનો સુંદર નજારો જોવા મળે છે. આ જ કારણ છે કે ચેરાપુંજીને વાદળોનું ઘર પણ કહેવામાં આવે છે. વિદેશી મહેમાનો પણ અહીંના  વરસાદના દિવાના છે.

ભારતના મેઘાલયના ઉત્તર-પૂર્વીય રાજ્યમાં આવેલું ચેરાપુંજી તેની લીલીછમ ખીણો, ધોધ અને શાંતિપૂર્ણ વાતાવરણને કારણે લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. અહીં ઓછામાં ઓછા બે દિવસની વિતાવવા જોઈએ. હળવા વરસાદમાં ધોધ વચ્ચે સમય પસાર કરીને હળવાશ અનુભવશો.


માવસમાઈ ગુફા- જો એડવેન્ચર પસંદ છે તો એ લોકોએ માવસમાઈ ગુફાની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. તેની ગણતરી ચેરાપુંજીના પ્રખ્યાત પર્યટન સ્થળોમાં થાય છે. અહીં દરેક પ્રકારની ગુફાઓ જોવા મળશે. અહીં પ્રકૃતિનો નજારો જોઈને નજર હટાવી શકશો નહીં.

માવસમાઈ ગુફા પછી નોહાકાલીકાઈ ધોધ જઈ શકો છો. અડધો કલાક ડ્રાઇવ કરીને અહીં પહોંચી શકાય છે. નોહાકાલિકાઈ ધોધ ચેરાપુંજીમાં સૌથી વધુ ફોટોજેનિક સ્થળો પૈકીનું એક છે. આ સિવાય અરવાહની ગુફાઓની પણ મુલાકાત લઈ શકો છો. પ્રવાસને યાદગાર બનાવવા માટે અહીંની મુલાકાત પણ લઈ શકાય છે.



રૂટ લિવિંગ બ્રિજ- આ બ્રિજ દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. તેને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે. આ જગ્યા ટ્રેકિંગ પ્લેસ માટે પણ ખૂબ પ્રખ્યાત છે. જો એડવેન્ચર ગમે છે, તો ચોક્કસ આ જગ્યાએ ટ્રેકિંગ પર જઇ શકાય.

ડેન્થાલેન ધોધ ચેરાપુંજીની સફર દરમિયાન ઘણા અદભૂત ધોધ જોવા મળશે. આમાં ડેન્થાલેન ધોધનું નામ પણ સામેલ છે.  બતા ડેન્થાલેન ધોધ એક સુંદર અને અનોખું સ્થળ છે.


ચેરાપુંજી કેવી રીતે પહોંચવું

અહીં જવા માટે  ફ્લાઈટ દ્વારા ગુવાહાટી એરપોર્ટ અને ત્યાંથી ચેરાપુંજીનું અંતર 170 કિલોમીટર છે. અહીંથી બસ અથવા ટેક્સી દ્વારા જઈ શકાય છે. ટ્રેનમાં જવા માટે  ગુવાહાટી જાવ, અહીંથી ચેરાપુંજી 145 કિલોમીટરના અંતરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application