યુપીના ગાઝીપુરના સપા સાંસદ અફઝલ અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે આપેલી ચાર વર્ષની સજાને રદ કરી દીધી છે. જણાવી દઈએ કે, ગત વર્ષે એપ્રિલમાં કૃષ્ણાનંદ રાય મર્ડર કેસમાં નોંધાયેલા ગેંગસ્ટર કેસમાં અફઝલને ચાર વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.
સંસદ સભ્યપદ પર કોઈ જોખમ નથી
અલ્હાબાદ હાઈકોર્ટે ગાઝીપુર કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે. હાઈકોર્ટના આ નિર્ણયથી હવે અફઝલ અંસારીની સંસદની સદસ્યતા અકબંધ રહેશે તે નક્કી થઈ ગયું છે. કોર્ટે 4 જુલાઈના રોજ આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
જણાવી દઈએ કે, અફઝલ અંસારીને ગેંગસ્ટર કેસમાં ગત વર્ષે 29 એપ્રિલ 2023ના રોજ 4 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. અફઝલ અંસારીને જેલમાં જવું પડ્યું કારણ કે તેને 4 વર્ષની સજા થઈ હતી અને તેનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. જો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા સજા પર સ્ટે મુકવાને કારણે અફઝલનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણી 2024માં અફઝલ અન્સારી ગાઝીપુરથી એસપીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
અફઝલ 2004માં પહેલીવાર બન્યા હતા સાંસદ
2004ની લોકસભા ચૂંટણીમાં અંસારી સૌપ્રથમ ગાઝીપુરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સાંસદ બન્યા હતા, પરંતુ 29 નવેમ્બર 2005ના રોજ ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા કરવામાં આવી હતી અને ડિસેમ્બર 2005ના રોજ અફઝલ અંસારીને ષડયંત્રના આરોપમાં જેલમાં જવું પડ્યું હતું. ત્યારબાદ 2009માં અફઝલ અંસારી BSPની ટિકિટ પર ચૂંટણી લડ્યા, પરંતુ તે સમયે ચૂંટણી હારી ગયા હતા. 2014માં તેઓ ક્વામી એકતા દળની ટિકિટ પર બલિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ત્યાં ફરીથી ચૂંટણી હારી ગયા હતા. 2019માં, SP અને BSP વચ્ચે ગઠબંધન થયું હતું અને અફઝલ અન્સારી BSPની ટિકિટ પર ગાઝીપુરથી ચૂંટણી લડ્યા હતા અને બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા, પરંતુ બીજી વખત સાંસદ બન્યાના 4 વર્ષ પછી એપ્રિલ 2023માં, MP/ ગાઝીપુરની એમએલએ કોર્ટે તેને ગેંગસ્ટર એક્ટ હેઠળ 4 વર્ષની જેલની સજા સંભળાવી હતી અને અફઝલ અંસારીને જેલમાં જવું પડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોમી હિંસા બાદ ચર્ચામાં રહેલા સંભલના સીઓ અનુજ ચૌધરીની કરાઈ બદલી
May 03, 2025 02:51 PMજમીનનું બોગસ સાટાખત કરી ૧.૯૦ કરોડની છેતરપિંડીના વધુ બે આરોપીની જામીન અરજી ફગાવાઇ
May 03, 2025 02:45 PMવન-ટાઇમ જીએસટી માફી યોજના હેઠળ વેપારીઓને મળશે મોટી રાહત
May 03, 2025 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech