લોકો દરિયા કિનારે ફરવા જાય છે, તો લગભગ દરેક લોકો ત્યાંથી શંખ, રેતી કે પથ્થરો ઉપાડે છે. ઘણા લોકો તેને દરિયામાં ફેકતા હોય છે. પરંતુ એક એવો ટાપુ એવો પણ છે જ્યાં તમે એક પણ કાંકરો ઉપાડો તો તમારે 2 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. પ્રવાસીઓ માટે કડક ચેતવણી જારી કરવામાં આવી છે. જો કોઈ ભૂલથી પણ આ કરે છે તો તે મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે.
કેનેરી દ્વીપમાં લેન્ઝારોટે અને ફુએર્ટેવેન્ચુરા જતા પ્રવાસીઓ માટે આ ચેતવણી જારી કરવામાં આવી છે. હકીકતમાં, દર ઉનાળામાં હજારો પ્રવાસીઓ અહીં આવે છે. ઘણા દિવસો વિતાવે છે. પરંતુ જ્યારે તેઓ જાય છે, ત્યારે તેઓ એક યાદ તરીકે અહીંના દરિયાકિનારા પરથી પથ્થરો લઇ જાય છે. કેટલાક લોકો પોતાની યાદોને સજાવવા માટે આ બીચ પરથી રેતી પણ લઈ જાય છે. આ કારણે ટાપુ પર કાંકરાની અછત સર્જાઈ છે. તેની સુંદરતા પર અસર થઈ રહી છે. સંભારણું એકત્ર કરવાની પ્રવાસીઓની આ આદત ટાપુઓની ઇકોસિસ્ટમ પર ખૂબ જ ખરાબ અસર કરી રહી છે. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અધિકારીઓનું કહેવું છે કે દર વર્ષે પ્રવાસીઓ લેન્ઝારોટ ટાપુના દરિયાકિનારા પરથી લગભગ એક ટન સામગ્રી લઈ જતા હતા. એ જ રીતે, ફ્યુર્ટેવેન્ચુરાના પ્રખ્યાત "પોપકોર્ન બીચ" પરથી દર મહિને પ્રવાસીઓ તેમની સાથે એક ટન રેતી લઇ જતા હતા. ઘણી વખત માટી, પથ્થરો અને ખડકો જપ્ત કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રવાસીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પહેલીવાર આટલી કડકાઈ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે, જો કોઈ દરિયાકિનારા પરથી ખડકો, પથ્થરો અને માટી એકત્રિત કરવાનો પ્રયાસ કરશે તો તેના પર 13,478 રૂપિયાથી લઈને 2.69 લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech