પોરબંદર નગરપાલિકાના તંત્રએ એન.આર.આઇ. મિલ્કતધારકો સામે વેરા વસુલાત ઝુંબેશ આગળ ધપાવી છે અને ત્રણ જેટલા એન.આર.આઇ.ના બંગલાને સીલ મારી દેવામાં આવ્યા છે તે ઉપરાંત બે એન.આર.આઇ. વતી ૬૦ હજાર પિયાનો વેરો ચુકવી દેવામાં આવતા પાલિકાએ તેમની મિલ્કતને સીલ મારી ન હતી.
પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીની સુચનાથી હાઉસ ટેકસ વિભાગે બુધવારે બપોરબાદ વેરા વસુલાત ઝુંબેશમાં એન.આર.આઇ.ને ત્યાં ધામા નાખ્યા હતા. ૧ લાખ ૪૫ હજાર પિયાનો ત્રણ એન.આર.આઇ.ના બંગલાનો વેરો લાંબા સમયથી બાકી હતો તે ભરવામાં આવ્યો નહી હોવાથી શહેરના પોશ ગણાતા વાડીપ્લોટ વિસ્તાર, સત્યનારાયણ મંદિર વિસ્તાર અને રામકૃષ્ણ મીશન સામે ભોજેશ્ર્વરપ્લોટ વિસ્તારમાં આવેલ બંગલાને સીલ મારવામાં આવ્યા હતા તે ઉપરાંત એમ.જી. રોડ ઉપર ૩૦ હજાર પિયાનો બાકી વેરો હોવાથી બે દુકાનને પણ સીલ મારવામાં આવી હતી.
પોરબંદર નગરપાલિકાના હાઉસ ટેકસ વિભાગના ઇન્સપેકટર વિપુલભાઇ ભટ્ટે જણાવ્યુ હતુ કે જલારામકોલોની વિસ્તારમાં બે જેટલા એન.આર.આઇ.ના મકાનના ૬૦,૦૦૦ ા.ના વેરા બાકી હતા આથી તેની સીલ મારવાની કાર્યવાહી કરવા માટે પાલિકાની ટીમ ગઇ ત્યારે તેમના સંબંધીએ આ રકમ ભરપાઇ કરી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech