ઘઉં, મસાલા અને કઠોળ જેવા મુખ્ય પાકો માટે ચાલુ રવી પાકોની વાવણીની પ્રગતિ પર નજીકથી દેખરેખ રાખવાની જરૂર, એલિવેટેડ વૈશ્વિક ખાંડના ભાવ પણ ચિંતાનો વિષય : આરબીઆઈ ગવર્નર
હાલમાં જ જાહેર કરાયેલા નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના ડેટા મુજબ હાઉસિંગ, કપડાં અને ફૂટવેર જેવા અન્ય ઘટકોમાં ઘટાડો નોંધાયો હોવા છતાં, ખાદ્યપદાર્થોના ફુગાવાના વધારાને કારણે રિટેલ ફુગાવો નવેમ્બરમાં ૫.૫૫%ની ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે.
એનએસઓ દ્વારા અલગથી બહાર પાડવામાં આવેલા ડેટામાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (આઇઆઇપી) દ્વારા માપવામાં આવેલ ફેક્ટરી આઉટપુટ ઑક્ટોબરમાં ૧૧.૭%ની ૧૬ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જે ખાણકામ, ઉત્પાદન, વીજળી અને કેપિટલ ગુડ્સ જેવા તમામ ક્ષેત્રોમાં કન્વીનીયન્ટ બેઝ ઇફેક્ટ અને સામાન્ય પિક-અપને કારણે થયું હતું.
ભારતીય રિઝર્વ બેંક મુજબ ગ્રાહકો માટેનો ફુગાવાનો દર ઓક્ટોબર ૨૦૨૩માં ઘટીને ૪.૮૭% થયો હતો અને નવેમ્બરમાં ફરી ગતિ પકડી હતી, જે મધ્યમ ગાળાના ફુગાવાના લક્ષ્યાંકના ૪+/- ૨% બેન્ડમાં ૪ ટકાથી ઉપર રહેવાના ૫૦મા મહિનાને ચિહ્નિત કરે છે. કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સએ નવેમ્બરમાં ૮.૭૦%નો ફુગાવાનો દર નોંધ્યો હતો, જે ઓક્ટોબરમાં ૬.૬૧% અને નવેમ્બર ૨૦૨૨માં ૪.૬૭% હતો. જો કે, કોર ફુગાવો નોન-ફૂડ, નોન-ફ્યુઅલ સેગમેન્ટમાં વધુ હળવો થયો છે. જે નવેમ્બરમાં ૪.૨% રહ્યો છે, જયારે અગાઉના મહિનામાં તે ૪.૪% થી સાધારણ ઇનપુટ કોસ્ટ પ્રેશર અને માંગમાં નબળાઇનો સંકેત આપે છે.
ખાદ્ય અને પીણા સેગમેન્ટ માટે ફુગાવાનો દર, જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ માં ૪૫.૮૬%નું વજન ધરાવે છે, તે નવેમ્બરમાં વધીને ૮.૦૨% થયો હતો જે ઓક્ટોબરમાં ૬.૨૪% હતો. શાકભાજીનો ફુગાવો નવેમ્બરમાં વધીને ૧૭.૭% થયો છે જે અગાઉના મહિનામાં ૨.૭% હતો. આઈડીએફસી ફર્સ્ટ બેંકના અર્થશાસ્ત્રી ગૌરા સેનગુપ્તાએ એક નોંધમાં જણાવ્યું હતું કે, ૭૦% ખાદ્ય પદાર્થો અને પીણાના પેટા ઘટકોમાં નવેમ્બરમાં ૬%થી વધુ ફુગાવો જોવા મળ્યો હતો.
ગયા અઠવાડિયે જાહેર કરાયેલ તેની તાજેતરની નાણાકીય નીતિ સમીક્ષામાં આરબીઆઈ દ્વારા પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો તેમ, ખાદ્યપદાર્થોના ભાવ આગળ જતા અનિશ્ચિતતા જોવા મળે છે. શુક્રવારે, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પણ શાકભાજીના ભાવમાં વધારો થવાના જોખમને ફ્લેગ કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે હાઇ ફ્રિકવન્સી ખાદ્ય ભાવ સૂચકાંકો મુખ્ય શાકભાજીના ભાવમાં વધારો દર્શાવે છે જે નજીકના ગાળામાં છૂટક ફુગાવાને વધારે દબાણ કરી શકે છે. ઘઉં, મસાલા અને કઠોળ જેવા મુખ્ય પાકો માટે ચાલુ રવી પાકોની વાવણીની પ્રગતિ પર નજીકથી દેખરેખ રાખવાની જરૂર છે. એલિવેટેડ વૈશ્વિક ખાંડના ભાવ પણ ચિંતાનો વિષય છે, મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટને ૬.૫૦% પર યથાવત રાખ્યો છે.
નવેમ્બરમાં અનાજ, કઠોળ અને મસાલાનો ફુગાવાનો દર અનુક્રમે ૧૦.૨૭%, ૨૦.૨૩% અને ૨૧.૫૫%ના દરે રહ્યો હતો. ઑક્ટોબરમાં -૦.૩૯%ની સામે નવેમ્બરમાં ફ્યુઅલ અને લાઇટ ગ્રૂપ -૦.૭૭%ના દરે નેગેટિવ ટેરિટરીમાં ચાલુ રહ્યા છે. કપડાં અને ફૂટવેરનો ફુગાવાનો નવેમ્બરમાં અગાઉના મહિનાઓમાં ૪.૩૧%થી ઘટીને ૩.૯૦% થયો હતો, જ્યારે હાઉસિંગ ફુગાવો નવેમ્બરમાં ૩.૮૦%થી ઘટીને ૩.૫૫% થયો હતો. પરચુરણ ફુગાવો, મુખ્યત્વે સેવાઓનું પ્રતિનિધિત્વ કરે છે, તે પણ નવેમ્બરમાં ૪.૩૮% જેટલો મધ્યસ્થી થયો હતો જે અગાઉના મહિનામાં ઓક્ટોબરમાં ૪.૪૦% હતો.
ઔદ્યોગિક ઉત્પાદનના મોરચે, મેન્યુફેક્ચરિંગ, જે આઇઆઇપીના વજનમાં ૭૭.૬% હિસ્સો ધરાવે છે, તે ઓક્ટોબરમાં ૪૦.૪% વધ્યો હતો, જે સપ્ટેમ્બરમાં ૪.૯% હતો. ખાણકામ અને વીજળી ઉત્પાદનમાં ૧૩.૧%ની વૃદ્ધિ નોંધાઈ છે. પ્રાથમિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર/બાંધકામ અને કેપિટલ ગુડ્સે આ વર્ષે ઓક્ટોબરમાં અનુક્રમે ૨૦.૪%, ૧૧.૪%, ૧૧.૩% અને ૨૨.૬%નો વૃદ્ધિદર નોંધાવ્યો હતો.
ગ્રામીણ વિસ્તારોમાં છૂટક ફુગાવાનો દર શહેરી વિસ્તારો કરતા વધુ રહ્યો
ગ્રામીણ-શહેરી વિભાજનમાં, ગ્રામીણ વિસ્તારોમાં છૂટક ફુગાવાનો દર નવેમ્બરમાં ૫.૮૫% હતો, જે શહેરી વિસ્તારો કરતા વધુ રહ્યો હતો, જેણે ૫.૨૬%નો ફુગાવો નોંધ્યો હતો. ગ્રામીણ વિસ્તારો માટે ખાદ્ય ફુગાવો નવેમ્બરમાં ૮.૩૮% હતો, જે શહેરી વિસ્તારોમાં ૯.૨૮%થી ઓછો હતો. આગામી મહિનાઓમાં ખાદ્યપદાર્થોના ભાવો પર સાવધાની રાખવાની સાથે, આરબીઆઈ લાંબા સમય સુધી વિરામ જાળવી રાખે તેવી અપેક્ષા છે. ચોમાસાની અસમાન કામગીરી અને નીચા જળાશયના સ્તરને કારણે ફુગાવાના દૃષ્ટિકોણનું મુખ્ય જોખમ ખાદ્ય ફુગાવાથી રહે છે. આથી, આરબીઆઈ નાણાકીય વર્ષ ૨૦૨૫ ના મધ્ય સુધી લાંબા સમય સુધી વિરામ પર રહેશે તેવી અપેક્ષા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુર પાસેથી દૂધ ચોરીનું ઝડપાયું રેકેટ, ભેળસેળ કરેલું દૂધ કૌભાંડનો થયો પર્દાફાશ
June 17, 2024 11:05 PMરાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ રહેશે, પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે
June 17, 2024 08:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech