બુધવારના મોટા ઘટાડા પછી, ગુરુવાર, 14 માર્ચના ટ્રેડિંગ સેશનથી ભારતીય શેરબજારના રોકાણકારો માટે રાહત મળી છે. આઈટી, એફએમસીજી શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 73000ને પાર કરી 335 પોઈન્ટના ઉછાળા સાથે 73,097 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 22,000 પાર કરવામાં સફળ રહ્યો હતો અને 149 પોઈન્ટ વધીને 22,146 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોએ જોરદાર વાપસી કરી છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 930 પોઈન્ટ અથવા 2.02 ટકાના વધારા સાથે બંધ થયો છે. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 500 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો. જો કે સવારના ઘટાડાના સ્તર પરથી જોવામાં આવે તો મિડકેપ ઈન્ડેક્સમાં 1600 પોઈન્ટથી વધુ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 700 પોઈન્ટની નીચી સપાટીથી રિકવરી જોવા મળી છે. આજના કારોબારમાં આઈટી, ફાર્મા, એફએમસીજી, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઉછાળા સાથે બંધ થયા છે. માત્ર બેન્કિંગ શેરોમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેર ઉછાળા સાથે અને 12 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 35 શેર ઉછાળા સાથે અને 15 ઘટાડા સાથે બંધ થયા હતા.
ગુરુવારના સત્રમાં શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં 8 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે, જે બુધવારે ઘટીને 14 લાખ કરોડ રૂપિયા થઈ ગયો હતો. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 380.16 લાખ કરોડ પર બંધ થયું હતું જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 372.11 લાખ કરોડ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech