જામનગર કોર્પોરેશનમાં નોકરી કરતા એક કર્મચારી ભેદી રીતે લાપતા બનતા આ અંગે પોલીસમાં ગુમ નોંધ કરાવવામાં આવતા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના રામેશ્ર્વર નજીક માટેલ ચોક શેરી નં. ૨માં રહેતી અને મહાનગરપાલીકામાં નોકરી કરતા વિજયસિંહ કિરીટસિંહ ઝાલા (ઉ.વ.૩૯) નામનો યુવાન બે દિવસ પહેલા પોતાના ઘરેથી નીકળ્યો હતો અચાનક લાપતા બની ગયા છે અને શોધખોળ કરવા છતા કોઇ પતો નહી સાંપડતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે.
દરમ્યાન સીટી-બી ડીવીઝનમાં વિજયસિંહ ઝાલા ગુમ થવા અંગેની નોંધ કરાવવામાં આવતા પોલીસ દ્વારા ગુમ થનાર યુવાનની શોધખોળ આદરવામાં આવી છે.