આ વર્ષે દેશ ગુરુવારે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા બુધવારે સરકારે રાષ્ટ્રપતિ મેડલ આપવાની જાહેરાત કરી છે. આ વર્ષે પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1037 જવાનોને વીરતા અને સેવા મેડલ એનાયત કરવામાં આવશે.
સરકાર દર વર્ષે વીરતા માટે રાષ્ટ્રપતિ મેડલ અને ચંદ્રક ક્રમશ: જીવન અને સંપત્તિને બચાવવા અથવા અપરાધને રોકવા તથા ગુનેગારોને પકડવાના અદમ્ય સાહસપૂર્ણ વીરતા કાર્ય અને વીરતાના વિશિષ્ટ કાર્યના આધારે એનાયત કરે છે.
ગૃહ મંત્રાલયે જાહેર કર્યા નામ
ગૃહ મંત્રાલયે મેડલ મેળવનારાઓના નામ જાહેર કર્યા છે. જેમાં ઉત્તર પ્રદેશથી ADG સુવેન્દ્ર કુમાર ભાગલ, DIG કલ્પના સક્સેના, ઇન્સ્પેક્ટર સુગંધા ઉપાધ્યાય અને SI રામવીર સિંહને રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે.
વડાપ્રધાન લાલ કિલ્લા પરથી 11મી વખત રાષ્ટ્રને સંબોધિત કરશે
જણાવી દઈએ કે, સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજધાની દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક લાલ કિલ્લા પરથી સતત 11મી વખત ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રને સંબોધિત કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech