સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૬ ની જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં અનેરા ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. જલારામ જયંતીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયાના જલારામ મંદિરને અનોખા સાજ-શણગારથી સજવામાં આવ્યું હતું. અહીં મહા આરતી, નૂતન ધ્વજારોહણ, અન્નકૂટ દર્શન, મહાપ્રસાદ, શોભાયાત્રા બાદ નાતના વિવિધ કાર્યક્રમોમાં હજારો જલારામ ભક્તો જોડાયા હતા અને આસ્થા વ્યક્ત કરી હતી.