જાણો, પીએમ મોદીના 11 દિવસના ઉપવાસ પર શંકા વ્યક્ત કરી કોંગી નેતા વીરપ્પા મોઇલીએ શું કહી દીધું?

  • January 24, 2024 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં યોજાયેલા પ્રાણપ્રતિષ્ઠા પર્વ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 દિવસ ઉપવાસ રાખ્યા હતા. ત્યારે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરપ્પા મોઈલીએ પીએમ મોદીના આ 11 દિવસના ઉપવાસ પર સવાલ ઉઠાવ્યા છે. વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે તેમને શંકા છે કે પીએમ મોદીએ ખરેખર ઉપવાસ કર્યા હતા કે નહીં. આ તરફ કોંગ્રેસ નેતાના નિવેદન પર ભાજપ આક્રમક બન્યું છે.


વીરપ્પા મોઈલીએ 11 દિવસના ઉપવાસ બાબતે શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેમણે એક ડૉક્ટર સાથે આ બાબતે વાત કરી હતી. જેમણે કહ્યું હતું કે, એકલા નારિયેળ પાણી પર 11 દિવસ સુધી જીવવું શક્ય નથી. પરંતુ પીએમ મોદી જીવિત છે તો શું આ ચમત્કાર છે? એટલું જ નહીં વીરપ્પા મોઈલીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે, જો પીએમ મોદીએ ઉપવાસ રાખ્યા વિના મંદિરના ગર્ભગૃહમાં પૂજા કરી હોય તો તે સ્થળ અશુદ્ધ થઈ ગયું છે. હવે ત્યાં અલૌકિક શક્તિ ઊભી થશે નહીં. પીએમ મોદી કહે છે કે તેમણે 11 દિવસના ઉપવાસ કર્યા છે અને માત્ર નારિયેળ પાણીનું સેવન કર્યું છે. પરંતુ તેમના ચહેરા પર થાકની કોઈ નિશાની નહોતી. લોકો પણ સવાલ કરી રહ્યા છે કે પીએમ મોદીએ ખરેખર ઉપવાસ રાખ્યા હતા કે નહીં.


આ તરફ કર્ણાટક ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ લાહર સિંહ સિરોયાએ મોઈલીના નિવેદન સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, 'વીરપ્પા મોઈલી એક મહાન લેખકનું માસ્ક પહેરીને ફરે છે, એવું વિચારીને કે દરેક તેમના જેવા બનાવટી છે. સાંસદ લાહર સિંહ પણ જવાબ આપવામાં પાછળ ન રહેતા એમ પણ કહી દીધું કે, ગાંધી પરિવારને ખુશ કરવાને બદલે જો તમને ભગવાન રામમાં શ્રદ્ધા હોય તો તમે ઉપવાસ રાખી શકો છો અને જીવિત પણ રહી શકો છો. ગાંધી પરિવારને ખુશ કરવાના આ પ્રયાસ છતાં મોઈલીને ચિક્કાબલ્લાપુરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસની ટિકિટ નહીં મળે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application