હિંદુ ધર્મમાં દરેક મહિનાનું પોતાનું આગવું મહત્વ હોય છે. તેમાં પણ વાત કરવામાં આવે માઘ માસની તો આ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડરને ધ્યાનમાં રાખીએ તો માઘ માસને હિન્દુ કેલેન્ડરનો 11મો મહિનો કહેવામાં આવે છે. આપને જણાવી દઇએ કે, વર્ષ 2024માં માઘ મહિનો 21 જાન્યુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી રહેશે.
પવિત્ર માઘ મહિનામાં સ્નાન અને દાનનું ઘણુ મહત્વ છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ, સૂર્ય ભગવાન અને માતા ગંગાની પૂજા કરવામાં આવે છે. પુરાણોમાં માઘ માસને માધનો મહિનો કહેવામાં આવતો એટલે કે માધવ, ભગવાન શ્રી કૃષ્ણને માધવ સ્વરૂપ જ કહેવામાં આવે છે. આથી, માઘ મહિનામાં દરરોજ સવારે ભગવાન શ્રીકૃષ્ણને પીળા ફૂલ અને પંચામૃત ચઢાવવું જોઇએ. માઘ મહિનામાં કોઈ પણ જરૂરિયાતમંદને ભોજન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
એક દંતકથા અનુસાર ઋષિ ગૌતમે ઈન્દ્રદેવને શ્રાપ આપ્યો હતો. જ્યારે ઈન્દ્રદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે માફી માંગી. ગૌતમ ઋષિએ ભગવાન ઈન્દ્રને માઘ મહિનામાં ગંગામાં સ્નાન કરીને તેનું પ્રાયશ્ચિત કરવાનું કહ્યું. જેના કારણે ઈન્દ્રદેવને શ્રાપમાંથી મુક્તિ મળી. તેથી જ માઘ મહિનામાં ગંગામાં સ્નાન કરવું અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું મહત્વનું બની રહે છે. ખાસ કરીને આ મહિનામાં માઘી પૂર્ણિમા અથવા માઘ મહિનાની અમાવાસ્યાના દિવસે સ્નાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech