સુરત બિલ્ડીંગ અકસ્માત અંગે કાર્યવાહી કરતા પોલીસે ત્રણ લોકો સામે FIR નોંધી છે અને તેમાંથી એકની ધરપકડ પણ કરી છે. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, એફઆઈઆરમાં જે લોકોના નામ છે તેમાં બિલ્ડીંગના માલિક રાજ કાકડિયા કે જેઓ હાલ અમેરિકામાં છે અને તેની માતા રમીલાબેન કાકડિયાનો સમાવેશ થાય છે. આ સિવાય પોલીસે બિલ્ડીંગમાં રહેતા લોકો પાસેથી ભાડુ વસુલતા અશ્વિન વેકરીયાની ધરપકડ કરી છે.
આ ત્રણેય વિરુદ્ધ એફઆઈઆર નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતાની કેટલીક કલમો હેઠળ નોંધવામાં આવી છે. એફઆઈઆર મુજબ, જર્જરિત 6 માળની ઈમારતમાં માત્ર 5 ફ્લેટમાં લોકો રહેતા હતા. બાકીના ફ્લેટમાં રહેતા લોકો જોખમને કારણે અહીંથી ચાલ્યા ગયા હતા. એપ્રિલમાં સુરત મહાનગરપાલિકાએ તેને જોઈને બિલ્ડિંગ ખાલી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમાં રહેતા લોકોએ વેકરીયાને રીપેરીંગ કરાવવા પણ જણાવ્યું હતું પરંતુ તેમણે કહ્યું હતું કે આવતા વર્ષ સુધીમાં માલિક રીપેરીંગ કરાવશે. આ ઈમારતનું નિર્માણ વર્ષ 2016-17માં કરવામાં આવ્યું હતું.
FIRમાં પીડિતોની ઓળખ હિરામન કેવત (40), અભિષેક (35), બ્રિજેશ ગોડ (50), શિવપૂજન કેવત (26), અનમોલ હરિજન (17), પરવેશ કેવત (21) અને લાલજી કેવત (40) તરીકે થઈ છે. મૃતકોમાં મોટાભાગના મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કાપડ કામદારો હતા. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં શનિવારે બપોરે 2.45 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો. તે સમયે કેટલાક લોકો કામ પર ગયા હતા જ્યારે કેટલાક તેમના ઘરે સૂતા હતા. દરમિયાન અચાનક બિલ્ડીંગ ધરાશાયી થતાં ચીસાચીસ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હતા. બચાવ કામગીરી શરૂ કરતી વખતે કાટમાળમાંથી ઘણા લોકોના અવાજો આવી રહ્યા હતા. બચાવ કામગીરી શરૂ કર્યા બાદ તરત જ એક મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. આ પછી આખી રાત બચાવ કામગીરી ચાલુ રહી અને એક પછી એક સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમોને પણ બોલાવવામાં આવી હતી. કેસની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, લગભગ પાંચ ફ્લેટમાં લોકો રહેતા હતા, જેમાંથી મોટાભાગના લોકો આ વિસ્તારમાં ફેક્ટરીઓમાં કામ કરતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech