ધોરણ 12ની પરીક્ષા દરમિયાન ભૂગોળના પેપરમાં બારી પાસેથી વિદ્યાર્થીઓને કરાવાતી હતી કોપી : શિક્ષણમંત્રીએ આપ્યા તપાસના આદેશ
હાલ રાજ્યમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. એકતરફ પોલીસ મુશ્કેલીમાં મુકાયેલા બાળકોની મદદ કરી રહી છે તો બીજી તરફ આણંદ માંથી માસ કોપી કેસનો બનાવ સામે આવ્યો છે. આણંદના કરમસદમાં આવેલા સરદાર પટેલ વિદ્યામંદિરના સેન્ટરમાં માસ કોપી કેસનો મામલો સામે આવ્યો છે. ધોરણ 12ની પરીક્ષા દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં કોઈ વ્યક્તિ બારીમાંથી જવાબ લખાવતી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ ગાંધીનગર સુધી રજૂઆત કરતા શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.
આ અંગે રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પરીક્ષા કેન્દ્ર રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં જવાબદારોને છોડવામાં નહીં આવે. બાળકોના ભવિષ્ય સાથે ચેડાં નહીં ચલાવી લેવાય.
પ્રાથમિક માહિતી મુજબ, આણંદ પાસેના કરમસદમાં આવેલા સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં ધો.12ની બોર્ડની પરીક્ષાના બીજા દિવસે ભૂગોળનું પેપર હતું. પરીક્ષા દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી આ સેન્ટરની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં ક્લાસની બારી પાસે કોઈ વ્યક્તિ બહારથી વિદ્યાર્થીઓને જવાબ લખાવી રહ્યો હોવાનું જોવા મળ્યું. જોકે વિદ્યાર્થી પાસે જઈને બારીની બહાર જોતા જ આ વ્યક્તિ દોડીને ભાગી ગયો હતો.
માસ કોપી કેસની ઘટના સામે આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરતા પરીક્ષા કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને સામુહિક રીતે સસ્પેન્ડ કરી નાખ્યો છે. આજે પરીક્ષાના ત્રીજા દિવસે નવા સ્ટાફ સાથે પેપર શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા ગાંધીનગરથી શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech