જામનગર એરપોર્ટ ખાતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ વન્યજીવો અને જંગલોને લઈને આપ્યું મહત્વનું નિવેદન
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ આજે જામનગરમાં રિલાયન્સ વનતારાના મહેમાન બન્યા છે, ત્યારે આજે બપોરે જામનગર એરપોર્ટ ખાતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું આગમન થયું હતું. એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કર્યા બાદ મુખ્યમંત્રી રિલાયન્સના વનતારા ખાતે જવા રવાના થયા હતા.
જામનગર નજીક રિલાયન્સ દ્વારા બનાવવામાં આવેલ વનતારાની દેશ વિદેશના મહાનુભવો એક પછી એક મુલાકાત લઇ રહ્યા છે, ત્યારે આજે ખાસ હવાઈ માર્ગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટથી સીધા રિલાયન્સના વનતારા ખાતે મુલાકાત લેવા માટે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રવાના થયા એ દરમિયાન તેમના દ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ વન્યજીવો અને જંગલને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દેશનો નવ ટકા હિસ્સો ફોરેસ્ટનો છે. ભારતમાં સૌથી વધુ ટાઈગર મધ્યપ્રદેશમાં આવેલા છે. જ્યારે જંગલ સાથે વન્યજીવોની પ્રજાતિઓમાં વધારો થઈ રહ્યો છે એવા સમયે રેસ્ક્યુ સેન્ટરની પણ તાતી માંગ ઉઠી છે. રેસ્ક્યુ સેન્ટર આવા સમયે બીમાર અને ઘાયલ થયેલા પશુઓ માટે એક આદર્શ બની રહે છે અને જેનું ગુજરાતમાં રિલાયન્સ દ્વારા વનતારા બનાવી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. વન્યજીવોની સાર સંભાળના મામલે આજે વનતારા ખાતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા મુલાકાત પણ લેવામાં આવશે.
વધુમાં પ્રતિક્રિયા આપતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વન્ય જીવો અને જંગલ મામલે ગુજરાત આદર્શ છે અને મધ્યપ્રદેશ તેનો ભાઈ છે, ત્યારે ખાસ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આજે જામનગરમાં પશુઓના સૌથી મોટા રેસક્યુ સેન્ટર વનતારાની મુલાકાતે આવી પહોંચ્યા છે.
જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11 વર્ષના સુશાસન મામલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 11 વર્ષનો શાસનકાળ સુશાસનકાળ છે. મોદીજીના કાર્યકાળમાં અનેક ઉપલબ્ધિઓ મળી છે જેની ઘણા લાંબા સમયથી જરૂરિયાત હતી. મોદીજીનો કાર્યકાળ સમગ્ર ભારતને ગૌરવવંતુ બનાવતો કાર્યકાળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech