મુંબઈ હુમલાના ગુનેગાર અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નાયબ ચીફ અબ્દુલ રહેમાન મક્કીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. મક્કી હાફિઝ સઈદનો સંબંધી અને સંગઠનના ટેરર ફંડિંગનો વડા હતો. તેને અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
મક્કી વૈશ્વિક આતંકવાદીની યાદીમાં સામેલ હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ મક્કીને 1267 ISIL (Da'esh) અને અલ-કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ સૂચિબદ્ધ કર્યા હતા. આ કારણે તેની મિલકતો સ્થગિત કરવામાં આવી હતી, સાથે જ મુસાફરી પર પ્રતિબંધ અને હથિયાર રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
અબ્દુલ રહેમાન મક્કીનો રોલ
અબ્દુલ રહેમાન મક્કીએ લશ્કર-એ-તૈયબાની રાજકીય પાંખનું નેતૃત્વ કર્યું હતું. આ સિવાય તે જમાત-ઉદ-દાવાનો વડા પણ હતો. તે લશ્કરના વિદેશી સંબંધો વિભાગના વડા પણ હતો. ભારતમાં મોટા આતંકવાદી હુમલાઓમાં અબ્દુલ રહેમાન મક્કીની સીધી ભૂમિકા હોવાનું માનવામાં આવતું હતું.
પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ ભારતમાં અનેક મોટા હુમલાઓ કર્યા છે
લાલ કિલ્લા પર હુમલો (2000): 22 ડિસેમ્બર 2000ના રોજ, 6 લશ્કરના આતંકવાદીઓ લાલ કિલ્લામાં પ્રવેશ્યા અને ગોળીબાર કર્યો, જેમાં 2 સૈનિકો અને એક નાગરિકનું મોત થયું.
26/11 મુંબઈ હુમલા (2008): 10 લશ્કર આતંકવાદીઓ અરબી સમુદ્ર મારફતે મુંબઈમાં પ્રવેશ્યા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલામાં 175 લોકો માર્યા ગયા હતા.
રામપુર હુમલો (2008): 1 જાન્યુઆરી 2008ના રોજ સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 7 સૈનિકો અને એક નાગરિક શહીદ થયા હતા.
બારામુલ્લા હુમલો (2018): લશ્કરના આતંકવાદીઓએ 30 મેના રોજ બારામુલ્લામાં ત્રણ નાગરિકોની હત્યા કરી હતી.
શ્રીનગર CRPF કેમ્પ પર હુમલો (2018): 12-13 ફેબ્રુઆરીના રોજ, કરણ નગરમાં CRPF કેમ્પ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.
બાંદીપોરા હુમલો: ભારતીય સેનાએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો, પરંતુ આ દરમિયાન 4 જવાન શહીદ થયા.
શુજાત બુખારીની હત્યા (2018): 14 જૂનના રોજ લશ્કરે રાઇઝિંગ કાશ્મીરના એડિટર શુજાત બુખારી અને તેના બે સુરક્ષા ગાર્ડની હત્યા કરી નાખી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech