મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં 90 મેગાવોટ ઉર્જા ઉત્પન્ન કરનાર મધ્ય અને ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સોલાર પરિયોજના શરૂ થઈ ગઈ છે. 646 કરોડના ખર્ચે ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ 8 ઓગસ્ટે શરૂ કરવામાં આવ્યો છે.
રાજ્યના અક્ષય ઉર્જામંત્રી રાકેશ શુક્લાએ એક નિવેદનમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ કેન્દ્રીય રિન્યુએબલ એનર્જી મંત્રાલય હેઠળ વિકસાવવામાં આવ્યો છે અને તે ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક અને મધ્ય અને ઉત્તર ભારતમાં સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ છે.
25 વર્ષમાં 4,629.3 મિલિયન યુનિટ વીજળીનું થશે ઉત્પાદન
મંત્રીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ SJVNની સંપૂર્ણ માલિકીની પેટાકંપની SJVN ગ્રીન એનર્જી લિમિટેડ (SGEL) દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, પ્રોજેક્ટના કમિશનિંગ સાથે, SJVNની કુલ સ્થાપિત ક્ષમતા વધીને 2466.50 મેગાવોટ થઈ ગઈ છે. જણાવી દઈએ કે, આ પ્રોજેક્ટ પ્રથમ વર્ષમાં 196.5 મિલિયન યુનિટ અને આગામી 25 વર્ષમાં 4,629.3 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરે તેવી શક્યતા છે.
2.3 લાખ ટનની અછત રહેશે
આ પરિયોજનાથી કાર્બન ઉત્સર્જનમાં 2.3 લાખ ટનનો ઘટાડો થશે અને 2070 સુધીમાં શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જન મેળવવાના કેન્દ્ર સરકારના મિશનમાં નોંધપાત્ર યોગદાન મળશે. શુક્લાના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ પાણીના બાષ્પીભવનને ઘટાડીને જળ સંરક્ષણમાં પણ મદદ કરશે. તેમણે માહિતી આપી હતી કે, આ પ્રોજેક્ટ પ્રતિ યુનિટ રૂ. 3.26ના દરે 25 વર્ષ માટે બિલ્ડ ઓન અને ઓપરેટના ધોરણે સ્પર્ધાત્મક ટેરિફ બિડિંગ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. ફ્લોટિંગ પાવર પ્લાન્ટ ઓમકારેશ્વર ડેમના બેક વોટર પર વિકસાવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech