છે કે પાણીના ક્રોતોના ગેરવહીવટ અને ઝડપી શહેરીકરણને કારણે શહેરમાં જળ સંકટ સર્જાયું છે. ચેન્નાઈમાં દર વર્ષે સરેરાશ ૧,૪૦૦ મીમીથી વધુ વરસાદ પડે છે. ચેન્નાઈમાં ઘણા જળાશયો છે. વરસાદી પાણીના સંચય માટે તે એક પાયલોટ શહેર પણ રહ્યું છે. હાલમાં કાયદાના અનાદર અને આડેધડ શહેરી વિકાસને કારણે પાણીનું સ્તર ઘટી રહ્યું છે. ચેન્નાઈ દુષ્કાળ તરફ આગળ વધી રહ્યું છે. આ દર્શાવે છે કે દુષ્કાળ હંમેશા કુદરતી ઘટના નથી. ૨૦૨૦ અને ૨૦૨૩ ની વચ્ચે ભારતમાં જળ વ્યવસ્થાપન નિષ્ફળતાને કારણે રમખાણો થયા અને તણાવ વધ્યો.
ભારત પછી સબ–સહારન આફ્રિકા આવે છે. યુએનસીસીડી નિષ્ણાતોએ કહ્યું છે કે દુષ્કાળને કારણે થતા નુકસાનને ઘટાડવાની લડાઈમાં ડેટા શેરિંગ ચાવીપ બનશે. તેમણે કહ્યું કે જ્ઞાનમાં સુધારો કરવા, દુષ્કાળની આગાહી કરવા અને જોખમોને સમજવા માટે રોકાણની જર છે. યુએનસીસીડીના એકિઝકયુટિવ સેક્રેટરી ઈબ્રાહિમ થિયાવે કહ્યું કે સમય ઘણો ઓછો છે. હું તમામ દેશોને ખાસ કરીને યુએનસીસીડી દેશોને અપીલ કં છું કે તેઓ આ એટલાસના તારણોની ગંભીરતાથી સમીક્ષા કરે અને સ્થિર, સુરક્ષિત અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે પગલાં લે.
એટલાસના લેખકોએ જણાવ્યું હતું કે દુષ્કાળના જોખમોને સફળતાપૂર્વક સંચાલિત કરવા માટે સમુદાયો અને દેશોએ સક્રિય પગલાં લેવાની જર પડશે. આ એટલાસ દુષ્કાળ વ્યવસ્થાપન અને અનુકૂલન માટે અસરકારક વ્યૂહરચના બનાવવામાં મદદ કરે છે. તે સમજાવે છે કે વિવિધ ક્ષેત્રોમાં જોખમો એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech