નિતેશ તિવારીની 'રામાયણ'ની ચર્ચાઓ અટકી રહી નથી. ફિલ્મની સ્ટાર કાસ્ટ સતત હેડલાઈન્સ બનાવી રહી છે. ભગવાન રામના રોલમાં નજરે પડનાર રણબીર કપૂરની સાથે અન્ય ઘણા પાત્રોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. રણબીરની સાથે 'રામાયણ'માં સાઈ પલ્લવી અને યશ લીડ રોલમાં જોવા મળશે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં દશરથના રોલ માટે અમિતાભ બચ્ચનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ હવે કોઈ અન્ય વ્યક્તિ આ ભૂમિકા ભજવતી જોવા મળી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રામાનંદ સાગરની 'રામાયણ'માં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ પણ નિતેશ તિવારીની ફિલ્મનો ભાગ બની શકે છે. હવે ટીવીના રામ પણ રણબીર કપૂર સાથે કામ કરતા જોવા મળી શકે છે. એક અહેવાલ અનુસાર, રાજા દશરથની ભૂમિકા હવે અમિતાભ બચ્ચન નહીં પરંતુ અરુણ ગોવિલ ભજવશે. એવું માનવામાં આવે છે કે અરુણ ગોવિલ ટીવીની 'રામાયણ' અને નિતેશ તિવારીની 'રામાયણ' વચ્ચે ખાસ જોડાણ બનાવવા જઈ રહ્યા છે.
હાલમાં જ નિતેશ તિવારીની 'રામાયણ'ને લઈને સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી રકુલ પ્રીત શૂર્પણખાનું પાત્ર ભજવતી જોવા મળશે. જ્યારે કૈકેયીના રોલ માટે લારા દત્તા અને હનુમાનના રોલ માટે સની દેઓલની પસંદગી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech