વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતીય અમીરો મોંઘા મકાનો અને વૈભવી સામાન પર વધુ ખર્ચ કરી રહ્યા છે. એચએસબીસીના ગ્લોબલ એન્ટરપ્રેન્યોરિયલ વેલ્થ રિપોર્ટ 2024માં આ વાત સામે આવી છે. વિશ્વમાં ઉથલપાથલ અને આર્થિક અસ્થિરતા હોવા છતાં, ભારતીય ઉદ્યોગ સાહસિકોને સ્થાનિક બજારમાં સંપૂર્ણ વિશ્વાસ છે. દેશના 98 ટકા અમીર લોકો માને છે કે આવનારા દિવસોમાં તેમની સંપત્તિમાં વધારો થશે અને તેથી જ તેઓ લક્ઝરી વસ્તુઓ પર ભારે ખર્ચ કરી રહ્યા છે. ભારતમાં, 61 ટકા ધનિકોએ રિયલ એસ્ટેટમાં ભારે રોકાણ કર્યું છે જ્યારે વિશ્વમાં આ આંકડો 51 ટકા છે. આ રિપોર્ટ ફ્રાન્સ, હોંગકોંગ, ભારત, ચીન, સિંગાપોર, સ્વિટ્ઝર્લેન્ડ, તાઈવાન, યુએઈ, યુકે અને અમેરિકાના 1,798 અમીર લોકો વચ્ચે કરવામાં આવેલા સર્વેના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
તેવી જ રીતે, 56 ટકા ભારતીય અમીરો વૈભવી સામાન પર નાણાં ખર્ચી રહ્યા છે જ્યારે ગ્લોબલ એવરેજ 40 ટકા છે. 44 ટકા ભારતીય ધનિકો તેમના પૈસા લક્ઝરી અનુભવો પાછળ ખર્ચી રહ્યા છે જેની ગ્લોબલ એવરેજ 35 ટકા છે. કળા કે સંગ્રહની વસ્તુઓ ખરીદવાની બાબતમાં ભારતીય અમીર લોકો વિશ્વના અન્ય દેશોના ધનિક લોકો કરતાં પાછળ છે. માત્ર 14 ટકા ભારતીય ધનિકો જ આના પર નાણાં રોકે છે જ્યારે વિશ્વમાં આ આંકડો 25 ટકા છે. ભારતમાં મોટાભાગના ધનિકો રોકાણ કરવામાં માને છે. 82 ટકા ધનિકો સ્ટોક, બોન્ડ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે. આ 10 આંતરરાષ્ટ્રીય બજારોમાં સૌથી વધુ છે.
75 ટકા ભારતીય ધનિકો માને છે કે ભારત વેપાર માટે આકર્ષક સ્થળ છે. 32ટકા ભારતીયોનું કહેવું છે કે તેઓ આગામી એક વર્ષમાં કોઈપણ વિદેશી બજારમાં બિઝનેસ કરવાની યોજના નથી બનાવતા. તેઓ સિંગાપોર, યુએઈ, યુકે અને અમેરિકાને બિઝનેસ કરવા માટે સારા બજારો માને છે. ભારતીય અમીરો બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી અને કરવેરાને તેમની સૌથી મોટી ચિંતા માને છે. જો કે, 75 ટકા લોકો કહે છે કે તેમને સરકારનું સમર્થન છે અને 86 ટકા માને છે કે સમાજ વ્યવસાયિક સન્માનનું સન્માન કરે છે.
રિપોર્ટ અનુસાર, 88 ટકા અમીર ભારતીયો તેમના વારસાને સાચવવા માટે બિઝનેસને તેમના પરિવાર પૂરતો મર્યિદિત રાખવા માંગે છે. 10માંથી 9 શ્રીમંત લોકો માને છે કે તેઓને તેમની આગામી પેઢીમાં સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ લગભગ અડધા લોકોએ હજુ સુધી તેમની ઉત્તરાધિકારની યોજના તૈયાર કરી નથી. એ જ રીતે, સર્વેક્ષણમાં સામેલ અડધા ભારતીય ધનિકો માને છે કે તેઓ યોગ્ય ઉત્તરાધિકાર શોધવા માટે ચિંતિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech