'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'ના કાસ્ટિંગ ડિરેક્ટર શ્રુતિ મહાજને શર્મિન સેગલના કાસ્ટિંગ વિશે વાત કરી છે. શર્મિન સેગલ 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'ના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ભત્રીજી છે. તેણે વેબ સિરીઝમાં મલ્લિકાજાનની પુત્રી આલમઝેબની ભૂમિકા ભજવી છે અને તે સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરી રહી છે. યુઝર્સનું કહેવું છે કે તેને આ પાત્ર તેની એક્ટિંગને કારણે નહીં, પરંતુ સંજય લીલા ભણસાલી સાથેના સંબંધોને કારણે મળ્યું છે. આવો જાણીએ આ અંગે શ્રુતિનું શું કહેવું છે.
શ્રુતિએ આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “આપણે હંમેશા નકારાત્મક બાબતો કેમ જોઈએ છીએ? આ તેની સાથે અન્યાય છે ને? તેના વિશે ઘણી સકારાત્મક વાતો પણ કહેવામાં આવી રહી છે. આપણે તેના વિશે કેમ વાત નથી કરતા? ઘણા બધા લોકો છે જે તેના કામને પસંદ કરી રહ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે એક અભિનેત્રી તરીકે તેણે તેના પાત્રને 100 ટકા આપ્યું છે. તે ખૂબ જ મહેનતુ અભિનેત્રી છે. આપણે તેની કદર કરવી જોઈએ.”
શ્રુતિએ એ પણ સ્પષ્ટ કર્યું કે શર્મિનને આલમઝેબના રોલ માટે ફાઈનલ કરવામાં આવે તે પહેલા તેને ઘણા બધા ઓડિશન અને લુક ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હતું. શ્રુતિએ કહ્યું, “તે અન્ય કલાકારોની જેમ જ પ્રોસેસ માંથી પસાર થઈ હતી, પ્રોસેસ દરેક માટે સમાન હતી. તેણે ઓડિશન અને લુક ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું. લોકો કહે છે કે તે 'હીરામંડી'ની દુનિયાની કે ગણિકાઓની દુનિયાની નથી લાગતી, પણ એ જ તો તેનું પાત્ર હતું. સિરીઝમાં બતાવવામાં આવ્યું છે કે તે બધાથી અલગ છે. તમે જે જોઈ રહ્યા છો તે હીરામંડીની એક સારી એક્ટ્રેસ છે અને મને તેના પર ખૂબ ગર્વ છે.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech