રાજકોટમાં 80 ફૂટ રોડ પર પુનિતનગર ટાંકા પાસે શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીત પરેશ બળદા ઉપર જંગલેશ્વરના બે શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પરેશના પગમાં ગોળી વાગતા ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલોસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલા ઈજાગ્રસ્ત પરેશને જંગલેશ્વરના શખ્સ સાથે માથાકૂટ થઈ હતી, જેનો ખાર રાખી આજે વહેલી સવારે પરેશ ઉપર ફાયરિંગ થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
વહેલી સવારે બે શખસે યુવક પર ફાયરિંગ કર્યું
રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા પાસે વહેલી સવારના સમયે શક્તિ ઉર્ફે પેંડાના સાગરીત પરેશ બળદા (ઉં.વ.23) ઉપર જંગલેશ્વરના તોસીફ અને સોહેલ નામના બે શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પરેશને પગના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ, SOG, LCB સ્ટાફ તેમજ ડીસીપી કક્ષાના અધિકારીઓ પહોંચી તપાસ હાથ ધરી હતી.
ઈજાગ્રસ્ત 5 દિવસ પહેલાં જ જેલમાંથી છૂટ્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત પરેશ દ્વારા 15 દિવસ પહેલા જંગલેશ્વરના શખ્સ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો, જેનો ખાર રાખી આજે સવારે જૂની અદાવતનો ખાર રાખી વહેલી સવારે પરેશ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈજાગ્રસ્ત પરેશ બળદા 5 દિવસ પહેલા જ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો અને આજે સવારે ફાયરિંગની ઘટના બનતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech