100 રૂપિયાની નોટ પર રહેલી 'રાણકી વાવ' ની ડિઝાઇન શા માટે છે ઉંધા મંદિર જેવી?

  • May 06, 2024 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જો ૧૦૦ રૂપિયાની નવી નોટ જોઈ હશે તો તેની પાછળ એક ચિત્ર છે તે જોયું જ હશે. જે ઉંધા મંદિર જેવું લાગે છે. પણ વાસ્તવમાં આ ઊંધુ મંદિર નથી પરંતુ રાણકી વાવ છે.

રાણકી વાવ ક્યાં આવેલી છે?

રાણકી વાવ ગુજરાતમાં આવેલી છે. પાટણ જિલ્લામાં સરસ્વતી નદીના કિનારે આ વાવ બનાવવામાં આવી છે. એવું કહેવાય છે કે તેનું નિર્માણ 11મી સદીમાં થયું હતું. તે સરસ્વતી નદીના કિનારે સાત માળમાં બનેલ છે. તેની લંબાઈ 64 મીટર અને પહોળાઈ 20 મીટર છે. જ્યારે રાણકી વાવની ઊંડાઈ 27 મીટર છે. આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાવમાં 30 કિલોમીટર લાંબી રહસ્યમય સુરંગ છે.


તે કોના માટે બાંધવામાં આવી હતી?

ઈતિહાસમાં મોટાભાગની ઈમારતો રાજાઓ દ્વારા રાણીઓની યાદમાં બનાવવામાં આવી છે. પરંતુ રાણકી વાવ એક રાજાની યાદમાં બનાવવામાં આવી છે. રાણકી વાવ 1063 માં સોલંકી વંશની રાણી ઉદયમતીએ તેમના સ્વર્ગસ્થ પતિ રાજા ભીમદેવની યાદમાં બંધાવી હતી. એવું માનવામાં આવે છે કે આ વાવના પાણીમાં ઔષધીય ગુણો છે જે તાવ અને અન્ય ઘણી બીમારીઓને દૂર કરી શકે છે.

આ સાથે વાવની અંદરની દિવાલો પર 800 થી વધુ શિલ્પો બનાવવામાં આવ્યા છે. આમાંની મોટાભાગની મૂર્તિઓ ભગવાન વિષ્ણુની છે. આ સિવાય વાવની દિવાલો પર અપ્સરાઓ અને ઋષિઓની મૂર્તિઓ પણ જોવા મળશે. જો અહીંયા ફરવા આવવું હોય તો પહેલા પાટણ પહોંચવું પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application