અનતં અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્કયુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા અણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુકત કરાયેલા ૨૦ હાથીઓ – ૧૦ નર, ૮ માદા, ૧ અલ્પ–પુખ્ત અને એક બાળ હાથીને આવકારવાની તૈયારી કરી રહ્યું છે. આ બચાવ કામગીરી સર્વેાચ્ચ અદાલત દ્રારા અનુમોદિત કમિટીની મંજૂરી સાથે પ્રાણીઓના વર્તમાન માલિકોની સંપૂર્ણ સંમતિ સાથે હાથ ધરવામાં આવી છે. આ હાથીઓને ટૂંક સમયમાં વનતારામાં તેમનું કાયમી ઘર મળશે.
બચાવી લેવાયેલા હાથીઓમાંની લમી ૧૦ વર્ષની કેદમાં જન્મેલી અલ્પ–પુખ્ત વયની છે અને તે ઐંડા ઘાને કારણે તેના પાછળના પગ પર વજન સહન કરવા માટે સંઘર્ષ કરી રહી છે, ઉપરાંત તેના જમણા કાન પિન્નામાં એક ઈંચના વ્યાસના તાજા ઘાથી પણ પીડાઈ રહી છે. આ બંને ઘા તેના પર માનવ વર્ચસ્વ સ્થાપિત કરવા માટેની ક્રૂર ટેમિંગ પ્રોસેસ દરમિયાન કરવામાં આવ્યા હતા. બે વર્ષની અને કેદમાં જન્મેલી બાળ હાથણી માયાને તેની માતા રોંગમોતી સાથે બચાવી લેવામાં આવી હતી, જેણે લાંબા સમય સુધી લોગીંગનું કામ કરવાથી છાતી અને નિતબં પર સતત ભારેખમ વજન ઉંચકવાથી થતાં જખમ સહન કર્યા હતા. એક સંપૂર્ણ પુખ્ત હાથી રામુ તેના ૪–૬ મહિનાના આક્રમક થવાના સમયગાળા મુસ્ટ પીરિયડ દરમિયાન તેને નિયંત્રિત કરવા માટે તેના આગળના અને પાછળના પગને સાથે સખત રીતે બાંધી રાખવામાં આવ્યા હતા અને તેના પરિણામે તે સખત શારીરિક અને માનસિક તકલીફમાં રહ્યો હતો. વધુ એક પુખ્ત હાથી બાબુલાલ ભોજન સામગ્રી શોધવા દરમિયાન જંગલી પુખ્ત હાથી સાથેના સંઘર્ષને કારણે ગંભીર રીતે તૂટેલી અને લોહી નીકળતી પૂંછડીની વેદનાથી પીડાય છે.
હાથીઓ માટે આજીવન સંભાળ પૂરી પાડવા ઉપરાંત, આ પ્રોજેકટ વનતારા ખાતે હાથીના માલિકો, મહાવતો અને તેમના પરિવારો માટે આજીવિકાની નવી તકો પૂરી પાડે છે. મહાવતો અને સામેલ અન્ય લોકો હાથીઓના સંચાલન માટેની માનવીય અને વૈજ્ઞાનિક રીતે સમર્થિત પદ્ધતિઓમાં સઘન તાલીમ મેળવશે, હાથીઓ માટે દયાળુ સંભાળનું ભવિષ્ય સુનિશ્ચિત કરશે અને આ અભિગમને સમર્થન આપવા માટે જ્ઞાન અને કૌશલ્યો સાથે તેમની સંભાળ રાખનારાઓને સશકત બનાવશે.
હાથીઓને ખાસ ડિઝાઇન કરાયેલી એલિફન્ટ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવશે, જેમાં બચ્ચું માયા તેની માતા સાથે મુસાફરી કરશે.
હાથીના પશુચિકિત્સકો, પેરાવેટસ, સિનિયર કેરટેકર્સ અને વનતારાના એમ્બ્યુલન્સ ડ્રાઇવરોનો સમાવેશ કરતી ૨૦૦થી વધુ નિષ્ણાતોની સમર્પિત ટીમ સખત પરિવહન માર્ગદર્શિકાઓ અને પ્રાણી કલ્યાણ ધોરણોનું પાલન કરવાની સાથે પ્રાણીઓના સલામત અને અનુપાલન પરિવહનની ખાતરી કરશે.
નમસાઈના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર તબાંગ જામોહે પુષ્ટ્રિ કરી હતી કે, અણાચલ પ્રદેશમાં લગભગ ૨૦૦ બંધક હાથીઓની સક્રિય સંવર્ધન વસ્તી સાથે, તેમના આરોગ્ય અને કલ્યાણની નજીકથી દેખરેખ રાખવા માટે ડીએનએ પ્રોફાઇલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્રારા નિયુકત કમિટીના નિર્દેશ મુજબ વનતારા ખાતેના રાધે કૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટમાં ૨૦ હાથીઓની ટ્રાન્સફર આ પ્રાણીઓના ઉવળ ભવિષ્યની ખાતરી આપે છે. ઇટાનગર બાયોલોજિકલ પાર્કના વેટરનરી ઓફિસર ડો. સોરાંગ તડપે જણાવ્યું હતું કે, હાથીઓની ચોવીસ કલાક સંભાળ અને ફિઝિયોથેરાપી પૂરી પાડતી સમર્પિત હોસ્પિટલ સુવિધાઓની તાત્કાલિક જરિયાત છે, જેનો આપણા રાયમાં હાલમાં અભાવ છે. બચાવેલા હાથીઓ માટે અધતન તબીબી સારવાર અને આજીવન સંભાળ પૂરી પાડતી વનતારા જેવી સુવિધાઓ જોવી પ્રોત્સાહક છે, જે તેમના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ માપદડં સ્થાપિત કરે છે.
હાથીના માલિકોમાંના એક ચૌ થામસાલા મેઇને આ પહેલની વિશિષ્ટ્રતા પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે અમે ખુશ છીએ કે હાથી હવે વનતારામાં કાળજીપૂર્વકનું જીવન વિતાવશે. આ પહેલ અમારા બાળકો માટે ઉવળ ભવિષ્યને સુરક્ષિત કરીને અમારા પરિવારો માટે સ્થિર નોકરીઓ અને સ્થિર આવક પણ પૂરી પાડે છે.
શોષણકારી લોગિંગ ઉધોગમાં હાથીઓને અનેક નુકસાન થાય છે કારણ કે તેઓને ભારે લાકડાં ઉપાડવાની અને કલાકો સુધી અથાક કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. સતત સાંકળોથી બંધાઈ રહેવાને કારણે તેઓ મુકત રીતે ફરવાની અને સ્વાભાવિક કુદરતી વર્તણૂકોથી વંચિત રહે છે. આ કઠોર પરિસ્થિતિઓ ગંભીર મનોવૈજ્ઞાનિક આઘાત પણ આપે છે, જે ઘણી વખત માથુ ધુણાવવાના, હલાવવાના અને ઝુલાવવાની તેમની વર્તણૂકોમાં દેખાઈ આવે છે. તેમનામાં બુદ્ધિ અને સામાજિક પ્રકૃતિ હોવા છતાં આ હાથીઓને મશીન તરીકે ગણવામાં આવે છે, તેમની પ્રતિ ા અને સુખાકારી છીનવાઈ જાય છે. વનતારા ખાતે તેમને નવજીવન અને હાથીઓની જેમ જીવવાની તક મળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોખીરા બસસ્ટેશન સામે મકાનોમાં પાણી ઘૂસે નહી તે માટે તંત્ર આગોત આયોજન કરે
May 09, 2025 02:37 PMજૂનાગઢ ગેસ અગ્નિકાંડ જેવી ઘટના પોરબંદરમાં પણ ઘટે તેવી દહેશત
May 09, 2025 02:36 PMપાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પોરબંદરમાં પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ
May 09, 2025 02:35 PMબગવદર પંથકની સગીરાનું અપહરણ કરનાર ખેતમજૂર પાંચ વર્ષે ઝડપાયો
May 09, 2025 02:34 PMમહાપાલિકા દ્વારા રવિવારે યોજાનારી સાઇક્લોથોન એકાએક સ્થગિત કરાઇ
May 09, 2025 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech