બોખીરા બસસ્ટેશન સામે મકાનોમાં પાણી ઘૂસે નહી તે માટે તંત્ર આગોત‚ આયોજન કરે

  • May 09, 2025 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના બોખીરા વિસ્તારમાં બસ સ્ટેશન સામે અનુસૂચિત જાતિ સમાજના મકાનો આવેલા છે અને વરસાદી પાણીના નિકાલ માટેના નાળા બુરાઇ ગયા હોવાથી ગત વર્ષ જેવી પરિસ્થિતિ સર્જાય તેવી દહેશત દર્શાવીને યોગ્ય  કરવા માંગ કરી છે અને તંત્ર નહી જાગે તો આંદોલનની પણ ચીમકી  ઉચ્ચારવામાં આવી છે. આ વિસ્તારના આગેવાન પરબતભાઇ મકવાણાએ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે બોખીરા બસસ્ટેશન સામે નવો પ્લોટવિસ્તાર કે જ્યાં અનુસૂચિત જાતિ સમાજના પરિવારો વસવાટ કરે છે ત્યાં ગત વર્ષે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલના અભાવે લોકોને ખૂબ મોટી નુકશાની થઇ હતી અને વર્ષ વીતી જવા આવ્યુ હોવા છતાં હજુ સુધી પાણીના નિકાલ માટેના નાળાની સફાઇ કે પ્રિ-મોન્સુન કામગીરી થઇ નથી તેથી ગત વર્ષ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય તે પહેલા પોરબંદર મહાનગર પાલિકાના અધિકારીઓ સમયસર જાગે અને વહેલીતકે કામગીરી હાથ ધરાવે તેવી માંગણી થઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application