ભાગેડુઓ કે ગુનેગારોને આશ્રય આપીશું નહીં, ન્યાયથી બચવા માટે અમારી નાગરિકતાનો ઉપયોગ કરનારાઓ માટે અમે શૂન્ય સહિષ્ણુતા રાખીએ છીએ: પીએમ જોથમ નાપટે ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ આઈપીએલ ચરમેન લલિત મોદીએ સોશિયલ મીડિયા પર વાનુઆતુની તસવીરો પોસ્ટ કરી છે અને આ દેશને સ્વર્ગ જેવો સુંદર ગણાવ્યો છે. લલિત મોદી દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરોમાં તેઓ પોતે વાનુઆતુમાં જોવા મળે છે. લલિત મોદીએ આ દેશની પ્રશંસા કરી છે અને લખ્યું છે કે તમારે આ દેશની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.
જોકે, લલિત મોદીની ખુશી અલ્પજીવી હોઈ શકે છે. કારણ કે વાનુઆતુના વડા પ્રધાન જોથમ નાપટે તેમના દેશના પાસપોર્ટ અધિકારીઓને લલિત મોદીનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. પીએમ જોથમ નાપટે કહ્યું છે કે વાનુઆતુ ક્યારેય ગુનેગારોને આશ્રય આપશે નહીં. તેમણે કહ્યું કે જે લોકો ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરવાથી બચવા માટે વાનુઆતુની નાગરિકતા લેવા માંગે છે તેઓ ક્યારેય સફળ થશે નહીં.પીએમ જોથમ નાપટે આવા લોકોને ચેતવણી આપી હતી કે મારો સંદેશ ખૂબ સ્પષ્ટ છે કે, વડા પ્રધાન તરીકે, અમે ભાગેડુઓ કે ગુનેગારોને આશ્રય આપીશું નહીં. ન્યાયથી બચવા માટે અમારી નાગરિકતાનો ઉપયોગ કરનારાઓ માટે અમે શૂન્ય સહિષ્ણુતા રાખીએ છીએ. જો તમારો આ જ ઇરાદો છે, તો હું તમને બીજે ક્યાંય જવાની સલાહ આપું છું.
આમ છતાં, લલિત મોદીએ વાનુઆતુ ની તસવીરો પોસ્ટ કરી છે અને લોકોને સલાહ આપી છે કે આ દેશને પણ તેમની મુસાફરી યાદીમાં સામેલ કરવો જોઈએ. લલિત મોદીએ વાનુઆતુ માં પોતાના ફોટા પોસ્ટ કર્યા અને કહ્યું, વાનુઆતુ એક સુંદર દેશ છે. તમારે તેને તમારી બકેટ લિસ્ટમાં સામેલ કરવો જ જોઈએ. પ્રદૂષણ અને ઘોંઘાટથી દૂર. ખરેખર સ્વર્ગ જેવો સુંદર દેશ,"
ઉલ્લેખનીય છે કે ભારતમાં ઘણા કેસોમાં વોન્ટેડ લલિત મોદીએ પોતાની ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો હતો. તેમણે લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ સરેન્ડર કર્યો અને વાનુઆતુ નાગરિકતા લીધી.ઓસ્ટ્રેલિયા નજીક સમુદ્રથી ઘેરાયેલો વાનુઆતુ ખરેખર સુંદર દેશ છે. સમુદ્રમાં સ્થિત નાના દેશોની સરકારો રોકાણોને આમંત્રણ આપવા માટે વિશ્વના ધનિક લોકોને તેમની નાગરિકતા વેચે છે. લલિત મોદીના કિસ્સામાં પણ આવું જ બન્યું છે. વાનુઆતુ પણ આવી જ રીતે નાગરિકતા આપે છે. આને રોકાણ દ્વારા નાગરિકતા કાર્યક્રમ કહેવામાં આવે છે.
લલિત મોદીના કેસ અંગે, વાનુઆતુ ના વડા પ્રધાને કહ્યું, અમે સ્વીકારીએ છીએ કે આ કેસના કેન્દ્રમાં રહેલી વ્યક્તિ પર એવા આરોપો છે જે હજુ સુધી કોર્ટમાં સાબિત થયા નથી, અને અમે તેમને આ બાબતોના ઉકેલમાં સફળતાની શુભેચ્છા પાઠવીએ છીએ. જોકે, વાનુઆતુ ના નાગરિક તરીકે તેમને આ આરોપોનો સામનો કરવો પડશે નહીં.તેમણે કહ્યું કે અમારા રોકાણ કાર્યક્રમ દ્વારા અમે વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા ઉથલપાથલને કારણે વાનુઆતુ માં પોતાનું ઘર બનાવતા લોકોની સંખ્યા વધારી છે, અને અમે તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરી કે વાનુઆતુ નો રોકાણ દ્વારા નાગરિકતા કાર્યક્રમ કાયદેસર ઇરાદા ધરાવતા અરજદારોનું સ્વાગત કરવાનું ચાલુ રાખશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech