એવું તો સાંભળતા હોય છીએ કે પનીર થોડા દિવસોમાં સોનીની દુકાને વેચાશે પરંતુ ગધેડીના દૂધમાંથી બનેલા પનીરના કિસ્સામાં, આ કહેવત કંઈક અંશે સાચી સાબિત થઇ શકે એમ છે. કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ગધેડાને લોકો મહત્વ નથી આપતા પણ તેનું દૂધ આટલું મોંઘુ અને ફાયદાકારક હોય શકે છે. ગધેડીના દૂધમાંથી બનેલા પનીર અને ચીઝ ખૂબ મોંઘા હોય છે. જેમને સામાન્ય ગાય અને ભેંસના દૂધમાંથી બનેલા પનીરની કિંમત મોંઘી લાગે છે, તેઓ ગધેડીના દૂધમાંથી બનેલા પનીરની કિંમત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશે.
ગધેડીનાં દૂધનું પનીર આટલું મોંઘું કેમ છે?
ભારતમાં 300-400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું પનીર સામાન્ય માણસની થાળીમાં ભાગ્યે જ જોવા મળે છે. ગધેડીના દૂધમાંથી બનેલા પનીરની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. ગધેડીનું દૂધ આખી દુનિયામાં લિક્વિડ ગોલ્ડ તરીકે ઓળખાય છે. તેનું કારણ તેમાં જોવા મળતા જબરદસ્ત પોષક તત્વો છે. તેમાં પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, કેલ્શિયમ અને સૌથી અગત્યનું લાઇસોઝાઇમ હોય છે, તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
ગધેડીના દૂધની વિશેષતા
એટલું જ નહીં, એવું કહેવાય છે કે ગધેડીના દૂધમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાયરલ ગુણ હોય છે, જે રોગો સામે લડવાની શક્તિ આપે છે. એવું પણ કહેવાય છે કે રોમન રાણી ક્લિયોપેટ્રા ગ્લોઈંગ સ્કિન માટે આ દૂધથી સ્નાન કરતી હતી. ગધેડીનું દૂધ મોંઘુ એટલું છે કારણ કે તે દિવસમાં માત્ર 200 થી 300 મિલી દૂધ આપે છે. આવી સ્થિતિમાં, એક લિટર દૂધ માટે વધારે ગધેડીઓની જરૂર પડે છે. તેને ચીઝમાં રૂપાંતરિત કરવાનો પ્રોસેસિંગ ખર્ચ ઘણો વધારે છે. એટલે કે જો 25 કિલો ગધેડીનું દૂધ કાઢવામાં આવે તો તેમાંથી ફક્ત એક કિલો ચીઝ જ બનાવી શકાય છે.
ગધેડીના એક લિટર દૂધની કિંમત આશ્ચર્યચકિત કરી દેશે
એક લિટર ગધેડીના દૂધની કિંમત 5000 રૂપિયા પ્રતિ લિટર સુધી છે. તેના દૂધમાં લેક્ટિક એસિડ વધુ હોય છે, જેના કારણે કોઈને પેટ સંબંધિત કોઈ સમસ્યા થતી નથી. તેમાં ગાય અને ભેંસના દૂધ કરતાં વધુ ગુણો પણ હોય છે, તેથી જ તેનો ઉપયોગ ઘણા સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. ભારતમાં ઘણા સ્ટાર્ટઅપ્સ ગધેડીના દૂધ પર કામ કરી રહ્યા છે. તેની ખેતી ગુજરાત અને તમિલનાડુમાં પણ થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમધરાત્રે પણ ભાવનગરમાં ફરીથી ફૂંકાયુ વાવાઝોડુ
May 06, 2025 03:52 PMબેદાયકાથી બનેલી બે મસ્જિદ પર તંત્રનું બુલડોઝર ફર્યું
May 06, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech