પત્ની રીસામણે ચાલી જતા મનમાં લાગી આવવાથી પગલુ ભર્યુ
કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામે વાડીએ રહેતા યુવાને જંતુનાશક દવા પી લેતા સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે, મૃતકની પત્ની રીસામણે ચાલી જતા આ બાબતનું મનમાં લાગી આવવાથી પગલુ ભરી લીધાનું પોલીસ ચોપડે નોંધાયુ છે.
મુળ મઘ્યપ્રદેશના જાંબવા જીલ્લાના માછલાજીર ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામે દીલાભાઇની વાડીએ રહેતા વિનુભાઇ થાવુભાઇ બાબેરીયા (ઉ.વ.20) નામના શ્રમિક યુવાનની પત્ની રીસામણ તેના માવતરના ઘરે જતા રહયા હોય અને તેણી પતી સાથે જવા માંગતા ન હોવાનું જણાવ્યુ હતું.
જે બાબતનું વિનુભાઇને મનમાં લાગી આવતા પોતાની મેળે તા. 21ના વાડીએ જંતુનાશક દવા પી લેતા દાખલ કરવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે મોટી નાગાજણ ગામમાં રહેતા સેનીયાભાઇ બાબેરીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરતા જાહેર થયેલી વિગતોના આધરે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સગીરા સાથે મંદિરમાં લગ્ન કરીને અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજા
May 08, 2025 10:24 AMમસ્કની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ લોન્ચ કરવાની મંજૂરી અપાઈ
May 08, 2025 10:21 AMજામનગરના એક યુવાનનું પ્રેમ પ્રકરણમાં અપહરણ કરી ઢોર માર મારી ફેંકી દેવાયો
May 08, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech