ભાવનગર શહેરના શેલારશાહ પીરની દરગાહ રોડ ઉપર યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. જેમાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાતા મોત નીપજ્યું હતું. શહેરના શેલારશાહ પીરની દરગાહ રોડ પર સંઘેડીયા બજાર વિસ્તારમાં યુવાનના છરીના ઘા ઝીંકી હત્યાં કરી દેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાના પગલે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના અમીપરા વિસ્તારમાં રહેતા ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ વિભાગમાં ફરજ બજાવતા અને કસ્બા અંજુમને ઇસ્લામ સંસ્થાના ઉપપ્રમુખ ઇલિયાસભાઈ હારૂનભાઈ બેલીમની સંઘેડીયા બજાર વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સએ છરીના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે. બનાવમાં ઈલિયાસને ગંભીર ઇજાગ્રસ્ત થતા તત્કાલીક સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન યુવાનનું મોત થયું હતું. આ ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા એલસીબી,નીલમબાગ સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. અત્યારનું કારણ જાણવા મળ્યું ન હતું. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે કોણે કરી અને શું કામ કરી તે અંગે પોલીસ તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
જોકે આ બનાવ અંગે ડીવાયએસપી આર.વી.ડામોરએ જણાવ્યું હતું કે, જાહેર રોડ પર ઇલિયાસ હારૂનભાઇ બેલીમ તથા સરફરાજ ઉર્ફે નાનકો તથા અન્ય શખ્સો વચ્ચે ધંધાકીય લેતીદેતી બાબતે માથાકૂટ થઈ હતી. અને ત્યારે ધંધાકીય લેતીદેતી બાબતે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. બાદ જ સાચું કારણ જાણવા મળશે. અને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech