તા.૩ જાન્યુઆરીથી ભાવનગર સહિતના છબીઘરોમાં રજૂ થઈ રહેલ ગુજરાતી ચલચિત્ર "કાશી રાધવના કલાકારોએ ભાવનગરની મુલાકાત લીધી હતી. પનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પોયુસ કરાયેલ ધ્રુવ ગોસ્વામી આ ચલચિત્રનસ લેખક તથા દિગ્દર્શક છે.
તાજેતરમાં જ ચલચિત્રનું ટ્રેલર લોન્ચ કરાયું હતું, જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.અભિનેત્રી દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે. તેમની સાથે ક્રુરદ ગોસ્વામી અને બાળ કણાકારા પીશ્રી ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. પ્રમોશન અર્થે દીક્ષા જોશી, જયેશ મોરે, ક્ષુરુદ ગોસ્વામી તથા ફિલ્મના લેખક- દિગ્દર્શક ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે રસપદ વાતો શેર કરી હતી.
ચલચિત્રની ટેગલાઈન છે."કરમ જ ઉગારે ને કરમ જ ડુબાડે, કરમ જેનો કાઠલો ઝાલે પછી કોઈ નો આવે એની વારે"- જે આપણને ઘણું બધુ સમજાઈ જાય છે કે સર્મ પર આધારિત છે ઘણા સબધોની મૂંઝવણ અને અને લાગણીઓનો ઉમંગ દશીવે છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ એક સિનેમેટિક ફિલ્મ છે જેમાં, દીક્કા "પ્રોસ્ટિટટ્યૂટ"ના અલગ જ અવતારમાં જોવા મળશે. આવું કદાચ કોઈપણ ગુજરાતી ચલચિત્રમાં પ્રથમવાર બતાવવામાં આવ્યું છે. કાશી (દીક્ષા જોશી) તેની ગુમ થઈ ગયેલ પુત્રીને શોધે છે અને પછી શું થાય છે તે તોચલચિત્ર જોયા બાદ જ ખબર પડશે. કાશી રાઘવ" હિન્દી ચલચિત્રોને પણ ટક્કર આપશે તે તો નક્કી છે. ભરત ઠક્કર, કલ્પના ગગડેકર, સૌરભ સારશ્વત, પ્રીતિવ્યાસ, વિશાલ ઠક્કર. દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરસંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ આ ચલચિત્રમાં જોવા મળશે. મ્યુઝિક પણ અવ્વલ કક્ષાનું છે. વત્સલ અને કવને આ ફિલ્મમાં સંગીત આપ્યું છે. અગાઉ રેખા ભારવાજનાં અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ લોરી સોન્ગ "નીદરુ" લોન્ચ કરવામાં આવ્યું હતું અને અત્યંત પ્રખ્યાત જુબિન નોટિયાલના અવાજમાં ગવાયેલ ગંગા સોન્ગ પણ તાજેતરમાં જ રિલીઝ કરાયું છે. આ બંને સિંગર્સે પ્રથમવાર કોઈ ગુજરાતી ચલચિત્રમાં પોતાનો આવાજ આપ્યો છે તે ખરેખર ગર્વની વાત કહેવાય. કાશી વિશ્વનાથ વારાણસી, કોલકાત્તા, ગુજરાત મુંબઈ વગેરે પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે. ઉપરાંત ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો સંગમ પણ જોવા મળશે. આવું કદાચ કોઈ રિજનલ પ્રથમવાર દર્શાવવામાં આવ્યું છે. જતન પડયા. જહાન્વી ચોપરા અને ધ્રુવ ગૌસ્વામી દ્વારા સહ- લિખિત છે આ ચલચિત્રની ચર્ચા હવે થવા લાગી છે કારણકે આ અનૌમી વિષય ગુજરાતીમાં લગભગ પ્રથમ વાર આવી રહ્યો છે. દીક્ષા જોશી અને જયેશ મોરે એ પોતાના વ્યભિનય થકી ચાર ચાંદ લગાડી દીધા છે કે જે દર્શકોને જરૂરથી પસંદ આવશે. તેમ કલાકારોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech