ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત વધી રહ્યું છે. ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલે ગઈકાલે જોરદાર જવાબ આપ્યો હતો. ઈઝરાયેલે ઈરાનના ઘણા સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. ઈરાન પર હુમલા બાદ ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રુવેન અઝારનું નિવેદન સામે આવ્યું છે.
ઈઝરાયલના રાજદૂત અઝારે કહ્યું કે ઈરાન પરનો આ હુમલો માત્ર એ વાતનો સંકેત છે કે જો તેહરાન આ લડાઈમાં આગળ વધવા માંગે છે તો ઈઝરાયેલ પાસે ઘણા વધુ નિશાનો મારવાની ક્ષમતા છે.
ઈરાનના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા
રાજદૂતે વધુમાં કહ્યું કે ઈઝરાયેલે જે કર્યું તે ખૂબ જ સચોટ હુમલો હતો, જેણે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નષ્ટ કરી દીધી. આ હુમલામાં ઈરાનના મિસાઈલ અને ડ્રોન સંબંધિત સૈન્ય સ્થાપનોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. હમાસ અને હિઝબુલ્લાહ જેવા ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠનો તરફ ઈશારો કરતા રાજદૂતે કહ્યું કે અમે માત્ર એ સંદેશ આપ્યો છે કે ઈઝરાયેલ કંઈપણ ખોટું સહન કરશે નહીં.
ઈરાને આ પહેલા 1 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલના ટાર્ગેટ પર 200 બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી, જે બાદ ઈઝરાયેલે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ઈરાનને વધુ નુકસાન થઈ શકે છેઃ રાજદૂત
રાજદૂત રુવેન અઝારે કહ્યું કે અમે અમારા સહયોગી દેશો, ખાસ કરીને યુએસ સાથે સંપૂર્ણ સંકલન કરી રહ્યા છીએ, જે અમારા પગલાને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ ઈરાનને ઘણું નુકસાન પહોંચાડી શક્યું હોત પરંતુ અમે જવાબદારીપૂર્વક જવાબ આપ્યો અને તેને મર્યાદિત કર્યો કારણ કે અમે માત્ર હમાસની સૈન્ય ક્ષમતાઓને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
ઈરાને કિંમત ચૂકવવી પડશે
જ્યારે રાજદૂતને પૂછવામાં આવ્યું કે શું ઈઝરાયેલ ક્યારેય ન સમાપ્ત થનારા યુદ્ધમાં ફસાઈ ગયું છે, તો તેમણે કહ્યું કે એવું લાગે છે પરંતુ અમે ફક્ત પોતાનો બચાવ કરી રહ્યા છીએ અને દુશ્મનને જવાબ આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે જો ઈરાન વાટાઘાટોના ટેબલ પર નહીં આવે તો તેણે તેની કિંમત ચૂકવવી પડશે.
ઈરાનના પરમાણુ કાર્યક્રમને કોઈ નુકસાન નથી
બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ ઉર્જા મોનિટરિંગ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે ઈઝરાયેલના હુમલામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને કોઈ નુકસાન થયું નથી.
IAEAના ડાયરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ ટ્વિટર પર લખ્યું, "ઈરાનની પરમાણુ સુવિધાઓ પર કોઈ અસર થઈ નથી," તેમણે પરમાણુ સામગ્રીની સુરક્ષાને જોખમમાં મૂકે તેવા પગલાં પર
સંયમ રાખવાની વિનંતી કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢ ગેસ અગ્નિકાંડ જેવી ઘટના પોરબંદરમાં પણ ઘટે તેવી દહેશત
May 09, 2025 02:36 PMપાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પોરબંદરમાં પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ
May 09, 2025 02:35 PMબગવદર પંથકની સગીરાનું અપહરણ કરનાર ખેતમજૂર પાંચ વર્ષે ઝડપાયો
May 09, 2025 02:34 PMમહાપાલિકા દ્વારા રવિવારે યોજાનારી સાઇક્લોથોન એકાએક સ્થગિત કરાઇ
May 09, 2025 02:34 PMવાડીપ્લોટ શાકમાર્કેટના બગીચામાં બાળ મનોરંજનના સાધનો તુટ્યા
May 09, 2025 02:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech