જામકંડોરણાના પત્રકાર પાસેથી ધંધાકીય જરૂરિયાત માટે ઉછીના લીધેલા કુલ રૂપિયા 21 લાખ પૈકી રૂપિયા 18 લાખ પરત કરવાના આપેલા ત્રણેય ચેક રિટર્ન થવાના કેસમાં જામકંડોરણા અદાલતે અમદાવાદવાસી પેઢીના ભાગીદારને ત્રણેય કેસમાં એક-એક વર્ષની કેદ અને ચેકની રકમથી દોઢી રકમ વળતર તરીકે ફરિયાદીને ચૂકવી દેવાનો હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, જામકંડોરણાના પત્રકાર અને વર્ષોજૂના ન્યુઝ પેપર એજન્ટ ધરાવતા ગિરીશભાઈ પરસોતમભાઈ અગ્રાવતના પુત્ર ફરીયાદી જીતેનભાઈ ગિરીશભાઈ અગ્રાવતે અમદાવાદના એમ. આર. વી. ભાગીદારી પેઢીના ભાગીદાર દુષ્યંત રસીક શાહ તથા રાકેશ ભીખા શાહ (રહે. અમદાવાદ)ને રૂા.૨૧ લાખ ધંધા માટે રોકાણ કરવા માટે આપેલા હતા, તે અંગે પ્રોમિસરી નોટ પણ લખાવવામાં આવી હતી. બાદ તે હાથ ઉછીની રકમની અવાર નવાર માંગણી કર્યા બાદ તેમની ભાગીદારી પેઢીના કુલ ચાર ચેકો અલગ અલગ રકમ અને તારીખોના આપેલા હતા, જેમાંથી ₹ 3 લાખનો ચેક રિટર્ન અંગે આરોપી રાકેશ શાહે ચેકની રકમ ભરી આપતા કેસ લોક અદાલતમાં કેસ ફેસલ થયો હતો. બાકીના રૂપિયા ૭ લાખ, રૂ. ૯ લાખ અને રૂ. ૫ લાખના જુદા જુદા ત્રણ ચેક રિટર્ન થયા પછી આરોપીઓને લીગલ નોટિસ આપવા છતા ચેકની રકમ નહીં ચૂકવતા ફરિયાદી જીતેન અગ્રાવતે તેના વકીલ કાંતિલાલ બી.બાલધા મારફત ફરીયાદો દાખલ કરવામા આવેલ અલગ અલગ ત્રણ ફરિયાદો દાખલ કરી હતી. જે કેસો કોર્ટમાં ચાલતા ટ્રાયલ દરમ્યાન આરોપી કે તેના વકીલે હાજર ન રહી બચાવ પણ લેવામાં આવેલ ન હતો. ફરીયાદીના વકીલે કોર્ટમાં ત્રણેય કેસમાં એવી દલીલ કરેલ હતી કે આરોપીએ ત્રણ ચેક રિટર્ન કરાવ્યા અંગે ફરીયાદીએ નેગો. કલમ.૧૩૮ અને ૧૩૯ જોગવાઈઓને પુરવાર કરેલ છે. ચેકોમાં આરોપી રાકેશની સહી હતી જે કેસ જામકંડોરણા અદાલતે સાબીત માની ગઈ કાલ તા.૩૦/ ૪/ ૨૦૨૫ના રોજ ત્રણેય કેસોમાં આરોપી રાકેશ ભીખા શાહને એક એક વર્ષની સજા અને ચેકની રકમથી દોઢી રકમ વળતર તરીકે ફરીયાદીને ચુકવી આપવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ કાંતિલાલ બી. બાલધા તથા પ્રતીક આર. કોયાણી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech